મોદી સરનેમ પર ટિપ્પણીના મામલામાં સુરત જીલ્લા અદાલતે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી છે. આ ચુકાદા અંગે તમામ વિપક્ષી દળોએ વિરોધ વ્યક્ત કર્યો છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરીએ કહ્યું કે તેમને શૂર્પણખા કહેવા બદલ તેઓ પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરશે.
કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરીએ પીએમ મોદીને સ્તરહીન ગણાવતા લખ્યું કે તેમણે (નરેન્દ્ર મોદીએ) મને ગૃહમાં શૂર્પણખા કહી. હું તેમની સામે માનહાનિનો કેસ કરીશ. ચાલો જોઈએ કે હવે કોર્ટ કેટલી ઝડપથી કામ કરે છે.
રેણુકા ચૌધરીએ અન્ય એક ટ્વીટમાં કહ્યું કે, રાહુલ ગાંધીએ ભ્રષ્ટાચાર સામે લડતી વખતે માફી માંગવાની ના પાડી દીધી છે. તેમણે ફાસીવાદ સામેની લડાઈમાં માફી પસંદ કરી નથી. તેણે સાચું બોલવા બદલ માફી માંગવાનો ઈન્કાર કરી દીધો છે. 7 ફેબ્રુઆરી 2018ના રોજ રાજ્યસભામાં પીએમ નરેન્દ્ર મોદીના ભાષણ દરમિયાન વિપક્ષ તરફથી ભારે હોબાળો થયો હતો. આ દરમિયાન કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરી રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુની વાત પર જોર જોરથી હસવા લાગ્યા હતા. તેના પર પીએમ મોદીએ કહ્યું હતું કે અધ્યક્ષ સાહેબ, હું તમને વિનંતી કરું છું કે રેણુકાજીને કંઈ ન બોલો. રામાયણ સિરિયલ પછી આવું હાસ્ય સાંભળવાનું સૌભાગ્ય મળ્યું. હવે સુરત જીલ્લા અદાલતે રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારી છે ત્યારે રેણુકા ચૌધરીએ પણ વડાપ્રધાન સામે બદનક્ષીનો કેસ દાખલ કરવાની વાત કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના ઉમિયા નગરમાં ધોડાએ નિવૃત્ત શિક્ષકને અડફેટે લીધા...
July 08, 2024 06:21 PMકેરાટિન કે સ્મૂથનિંગ, તમારા વાળ માટે ક્યું છે શ્રેષ્ઠ?
July 08, 2024 06:19 PMજામનગરમાં વોર્ડ નબર 3ના કોર્પોરેટર દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું
July 08, 2024 06:14 PMજય શાહની BCCIમાંથી ICCમાં જવાની અટકળો, જાણો ક્યારે થશે અધ્યક્ષ પદ માટે ચૂંટણી?
July 08, 2024 06:05 PMજામનગર મહાનગર પાલિકા પર નગરસેવિકાએ કર્યા આક્ષેપ...જાણો શું?
July 08, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech