મોદીએ મને શૂર્પણખા સાથે સરખાવી હતી, હવે હું કેસ કરીશ: રેણુકા ચૌધરી

  • March 24, 2023 10:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોદી સરનેમ પર ટિપ્પણીના મામલામાં સુરત જીલ્લા અદાલતે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી છે. આ ચુકાદા અંગે તમામ વિપક્ષી દળોએ વિરોધ વ્યક્ત કર્યો છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરીએ કહ્યું કે તેમને શૂર્પણખા કહેવા બદલ તેઓ પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરશે.
કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરીએ પીએમ મોદીને સ્તરહીન ગણાવતા લખ્યું કે તેમણે (નરેન્દ્ર મોદીએ) મને ગૃહમાં શૂર્પણખા કહી. હું તેમની સામે માનહાનિનો કેસ કરીશ. ચાલો જોઈએ કે હવે કોર્ટ કેટલી ઝડપથી કામ કરે છે.

રેણુકા ચૌધરીએ અન્ય એક ટ્વીટમાં કહ્યું કે, રાહુલ ગાંધીએ ભ્રષ્ટાચાર સામે લડતી વખતે માફી માંગવાની ના પાડી દીધી છે. તેમણે ફાસીવાદ સામેની લડાઈમાં માફી પસંદ કરી નથી. તેણે સાચું બોલવા બદલ માફી માંગવાનો ઈન્કાર કરી દીધો છે. 7 ફેબ્રુઆરી 2018ના રોજ રાજ્યસભામાં પીએમ નરેન્દ્ર મોદીના ભાષણ દરમિયાન વિપક્ષ તરફથી ભારે હોબાળો થયો હતો. આ દરમિયાન કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરી રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુની વાત પર જોર જોરથી હસવા લાગ્યા હતા. તેના પર પીએમ મોદીએ કહ્યું હતું કે અધ્યક્ષ સાહેબ, હું તમને વિનંતી કરું છું કે રેણુકાજીને કંઈ ન બોલો. રામાયણ સિરિયલ પછી આવું હાસ્ય સાંભળવાનું સૌભાગ્ય મળ્યું. હવે સુરત જીલ્લા અદાલતે રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારી છે ત્યારે રેણુકા ચૌધરીએ પણ વડાપ્રધાન સામે બદનક્ષીનો કેસ દાખલ કરવાની વાત કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application