ભારતમાં સર્જરી પછી દર વર્ષે સરેરાશ ૧૫ લાખ દર્દીઓ ચેપનો ભોગ બને છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ના તાજેતરના અહેવાલમાં સર્જરી પછીના ચેપ એટલે કે સર્જિકલ સાઇટ ઇન્ફેકશન (એસએસઆઈ) અંગેની આ ચિંતાજનક પરિસ્થિતિ પ્રકાશમાં આવી છે. એસએસઆઈ ત્યારે થાય છે યારે બેકટેરિયા સર્જરી દરમિયાન થયેલા ચીરામાં પ્રવેશ કરે છે અને ચેપનું કારણ બને છે. આઈસીએમઆરના અહેવાલ મુજબ, ભારતમાં સર્જરી પછી દર્દીઓમાં એસએસઆઈ ચેપનો દર ૫.૨ ટકા છે જે ઘણા વિકસિત દેશો કરતા વધારે છે.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે હાડકા, સ્નાયુઓ સંબંધિત સર્જરી અથવા ઓર્થેાપેડિક સર્જરીના કિસ્સાઓમાં એસએસઆઈ દર ૫૪.૨ ટકા છે, જે ખૂબ જ ચિંતાનો વિષય છે. આ સમસ્યાનો સામનો કરવા માટે, આઈસીએમઆર એ એસએસઆઈ સર્વેલન્સ નેટવર્ક શ કયુ છે.
તેનો ઉદ્દેશ્ય દેશભરના ડોકટરોને આવા ચેપને રોકવામાં મદદ કરવાનો છે. આઈસીએમઆરએ ત્રણ મુખ્ય હોસ્પિટલો એઈમ્સ દિલ્હી, કસ્તુરબા હોસ્પિટલ, મણિપાલ અને ટાટા મેમોરિયલ હોસ્પિટલ મુંબઈમાં ૩,૦૯૦ દર્દીઓની સર્જરીઓ પર આ અભ્યાસ હાથ ધર્યેા હતો.
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઓર્થેાપેડિક સર્જરી કરાવતા દર્દીઓમાં એસએસઆઈનું જોખમ વધારે હતું. કુલ દર્દીઓમાંથી, ૧૬૧ દર્દીઓ (૫.૨ ટકા) શક્રક્રિયા પછી એસએસઆઈથી પીડાતા હતા. ૧૨૦ મિનિટ કે બે કલાકથી વધુ સમય સુધી ચાલેલી સર્જરી પછી દર્દીઓને એસએસઆઈ થવાનું જોખમ વધારે હોય છે.
અભ્યાસમાં જણાવાયું છે કે એસએસઆઈને ઓળખવા માટે ડિસ્ચાર્જ પછી દર્દીઓનું નિરીક્ષણ મહત્વપૂર્ણ છે. ૬૬ ટકા કિસ્સાઓમાં, દર્દીઓ હોસ્પિટલ છોડી ગયા પછી એસએસઆઈ મળી આવ્યા હતા. ડિસ્ચાર્જ પછીના સર્વેલન્સથી ૬૬ ટકા એસએસઆઈ કેસ શોધવામાં મદદ મળી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech