રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રના માર્કેટ યાર્ડ કાલે રક્ષાબંધન પર્વ નિમિતે બધં રહેશે

  • August 29, 2023 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રના ૩૦થી વધુ માર્કેટ યાર્ડ કાલે તા.૩૦ના રોજ રક્ષાબંધન પર્વની રજા પાળશે જેથી આવકો અને હરરાજી સહિતના કામકાજ બધં રહેશે. રાજકોટ માર્કેટ યાર્ડ દ્રારા આ અંગે પરિપત્ર પ્રસિદ્ધ કરી રજા જાહેર કરાઇ છે.વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરાના આદેશથી સેક્રેટરી બી.આર.તેજાણી દ્રારા પ્રસિધ્ધ કરાયેલા પરિપત્રમાં જણાવ્યું છે કે સંબંધકર્તા સર્વે ને જણાવવાનું કે ૩૦–૮–૨૦૨૩ને બુધવારના રોજ તારીખ રક્ષા બંધનના તહેવાર નિમિતે મુખ્ય માર્કેટ યાર્ડ તથા સબ માર્કેટ યાર્ડ (શાકભાજી વિભાગ)નું કામકાજ બધં સંપૂર્ણ બધં રહેશે.અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર્રના અન્ય માર્કેટ યાર્ડ રજાઓની બાબતમાં રાજકોટ માર્કેટ યાર્ડને અનુસરતા હોય અન્ય તમામ યાર્ડ પણ રજા પાળશે. મહત્વપૂર્ણ છે કે માર્કેટ યાર્ડને લાગુ પડતી ન હોય તેવી અનેક જાહેર રજાના દિવસે યાર્ડ કાર્યરત રહેતું હોય છે, યારે અમુક તહેવારો અને ધાર્મિક રજામાં સંપૂર્ણ બધં રહેતું હોય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application