જામનગરમાં મેન્યુઅલ સ્કેવેન્જર્સ અને અસ્વચ્છ શૌચાલયોના સર્વે બાબત જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે
જામનગર ધી પ્રોહિબીશન ઓફ એમ્પલોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રિહેબીલીટેશન એકટ, 2013 M.S. Act, 2013 ની જોગવાઈ હેઠળ તેમજ નામદાર સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ, ભારત સરકારશ્રીની ગાઈડલાઈન અન્વયે મેન્યુઅલ સ્કેવેન્જર્સ એટલે કે એવા વ્યક્તિઓ કે જેને સ્થાનિક સત્તામંડળ, એજન્સી, કોન્ટ્રાક્ટર, અન્ય કોઈ વ્યક્તિ દ્વારા, માનવ મળમૂત્રની કોઈપણ પ્રકારના ઉપકરણો કે સલામતીના સાધનો વગર, ખુલ્લા હાથેથી સફાઈ કરવા, વહન કરવા, નિકાલ કરવાના કામમાં રોકેલા હોય કે કાર્યરત હોય, અસ્વચ્છ શૌચાલય જે શૌચાલયમાં માનવ મળમૂત્રને કોઈપણ પ્રકારના ઉપકરણો કે સલામતીના સાધનો વિના ખુલ્લા હાથેથી સાફ કરવું પડે, મળમૂત્ર સંપૂર્ણપણે વિઘટિત થાય એ પહેલા મેન્યુઅલી સાફ કે નિકાલ કરવો પડે- આ તમામ બાબતનો સર્વે કરવાનો થાય છે. જે સર્વે અનુસાર
(1) ઉપરોક્ત કાયદાકીય જોગવાઈઓ, સુચનાઓ તથા માર્ગદર્શિકા મુજબ જો કોઈ વ્યક્તિ મેન્યુઅલ સ્કેવેન્જર્સ તરીકેના કામ કે પ્રવૃત્તિમાં રોકાયેલા હોય કે કાર્યરત હોય તો તેવા વ્યક્તિએ સ્વયંઘોષણા મારફત આધાર પુરાવા અને વિગતો સાથે સ્થાનિક સત્તામંડળ, સ્વયંઘોષણા કેન્દ્રો ઉપર સંબંધિત મહાનગરપાલિકા, નગરપાલિકા, ગ્રામ પંચાયતમાં પોતાને જાહેર કરવાના છે અને તેમની નોંધણી કરાવવાની છે.
(2) અસ્વચ્છ શૌચાલયોનો સર્વે સ્થાનિક સત્તામંડળો મહાનગરપાલિકા, નગરપાલિકા, ગ્રામ પંચાયતોએ આગામી તારીખ 17/08/2024 સુધીમાં કરીને તેની યાદી બનાવવાની રહેશે.
(3) શહેરી વિસ્તાર માટે ઉક્ત બાબતોના સ્થાનિક સત્તામંડળ, સ્વયંઘોષણા કેન્દ્ર તરીકે સંબંધિત મહાનગરપાલિકા અને નગરપાલિકા તેમજ ગ્રામ્ય વિસ્તાર માટે સંબંધિત ગ્રામ પંચાયત રહેશે.
(4) મેન્યુઅલ સ્કેવેન્જર્સ તરીકેના કામ કે પ્રવૃત્તિમાં રોકાયેલા હોય કે કાર્યરત હોય તો તેવા વ્યક્તિ ઉક્ત બાબતે આગામી તારીખ 17/08/2024 સુધીમાં સ્વયંઘોષણા કે નોંધણી કરાવી શકાશે. તેમ સભ્ય સચિવશ્રી, મેન્યુઅલ સ્કેવેન્જર્સ સર્વે સમિતિ અને નાયબ નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech