મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટ માંથી પણ ન મળી રાહત, એક્સાઇઝ પોલિસી કેસમાં જામીન નામંજૂર

  • October 30, 2023 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સિસોદિયા સામે ૩૩૬ કરોડ રૂપિયાની મની ટ્રેલ સાબિત થઈ છે, ૬ થી ૮ મહિનામાં ટ્રાયલ પૂર્ણ કરો : સુપ્રીમ




એક્સાઇઝ પોલિસી કેસના આરોપી અને દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને ફરી નિરાશા મળી છે. સુપ્રીમ કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી હતી. જસ્ટિસ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે જો છ મહિનામાં ટ્રાયલની ગતિ ધીમી રહેશે તો સિસોદિયા ફરીથી કોર્ટનો સંપર્ક કરી શકે છે. સુનાવણી બાદ ખંડપીઠે ૧૭ ઓક્ટોબરે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચે મૌખિક ટિપ્પણીમાં કહ્યું હતું કે કોઈને અનિશ્ચિત સમય માટે જેલના સળિયા પાછળ રાખી શકાય નહીં.

સીબીઆઈ અને ઇડીએ મનીષ સિસોદિયા વિરુદ્ધ કેસ નોંધ્યો છે. તે ફેબ્રુઆરીથી જેલમાં છે. દિલ્હી હાઈકોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી હતી, ત્યારબાદ તેણે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. કેસની સુનાવણી દરમિયાન સિસોદિયાના વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે તેમની સામે ભ્રષ્ટાચારનો કોઈ કેસ નથી બન્યો. સીબીઆઈના આરોપમાં ગુનાનો કોઈ સંકેત નથી અને ભ્રષ્ટાચારનો કોઈ આરોપ નક્કર નથી.

સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની બેંચે કહ્યું હતું કે ટ્રાયલ કોર્ટમાં આરોપ પર સુનાવણી શરૂ ન થવાને કારણે વ્યક્તિને અનિશ્ચિત સમય માટે જેલના સળિયા પાછળ રાખી શકાય નહીં. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ખન્નાએ કહ્યું હતું કે એકવાર ચાર્જશીટ દાખલ થઈ જાય પછી તમે કોઈને આ રીતે જેલમાં ન રાખી શકો. કોઈને પણ અનિશ્ચિત સમય માટે જેલના સળિયા પાછળ રાખી શકાય નહીં.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application