દુધાળા પશુઓને અપાતા ગેરકાયદે ઇન્જેકશનો બનાવવાની ફેકટરીને એસઓજીએ પકડી પાડી હતી, મુદામાલ કબ્જે કરી એક શખ્સની અટકાયત કરવામાં આવી છે.
રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા દ્વારકા એસપી નિતેશ પાંડેય દ્વારા જિલ્લામાં શંકાસ્પદ કેમીકલનો ઉપયોગ કરી પ્રોડકટ બનાવતી કંપનીઓ ઉપર ખાનગી તપાસ કરી શંકાસ્પદ જણાઇ આવ્યે કાર્યવાહી કરવા પીઆઇ પી.સી. સીંગરખીયાને જરી સુચના તથા માર્ગદર્શન આપેલ જે અનુસંધાને એસઓજી દ્વારકા એએસઆઇ કાનાભાઇ માડમ, નગાભાઇ ગાગીયા, હેડક કોન્સ રણમલભાઇ પરમાર ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન એએસઆઇ રણમલભાઇ માડમ, ભીખાભાઇ ગાગીયાને સંયુકત રીતે હકીકત મળેલ કે, ચોખંડા ગામે રહેતા કરશન નારણ ગોજીયા પોતાના કબ્જાના પશુ બંધાવાના વાડામાં ગેરકાયદે રીતે દુધાળા પુશુઓ વધુ અને નિયમીત દુધ આપે તે માટેના ઇન્જેકશન બનાવવાની પ્રવૃતી કરેછે.
આ ચોકકસ હકીકત આધારે જરી કાર્યવાહી કરી હકીકત મુજબના સ્થળે તપાસ કરતા કરશન નારણ ગોજીયા, રહે. ચોખંડા ગામ, ઝાપા પાસે તા. ભાણવડવાળો મળી આવેલ તેમજ તપાસ દરમ્યાન ભોગવટાના પશુ બાંધવાના વાડામાં પશુઓ માટે વપરાતા ઇન્જેકશન બનાવવમાં વપરામાત કેમીકલો તેમજ અન્ય પેકેજીંગનો મુદામાલ મોટી માત્રામાં ખાલી બોટલો તથા બજારમાં વેચાણ કરવા બનાવેલ શંકાસ્પદ પ્રવાહી ભરેલી બોટલો વિગેરે મળી આવી હતી.
જે બાબતે ઇસમની પુછપરછ દરમ્યાન શંકાસ્પદ કેમીકલ તથા પેક કરી અને બજારમા વેચાણ કરતા હોવાની કબુલાત આપેલ જે બાબતે કોઇપણ જાતની નિષ્ણાંત હોવાુ પ્રમાણપત્ર કે મુદામાલ બાબતે આધાર પુરાવા રજુ કરી શકેલ ન હોય આરોપી વિરુઘ્ધ સીઆરપીસી કલમ ૪૧(૧), ડી, ૧૦૨ મુજબ કાર્યવાહી કરી આરોપીને હસ્તગત કરી મુદામાલ સાથે ભાણવડ પોલીસ સ્ટેશન ખાતે વધુ તપાસ અર્થે સોપી આપેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech