દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ભલે આજે આપણી વચ્ચે નથી પરંતુ તેઓ એવા સ્ટાર હતા જેમણે ટેલિવિઝનમાંથી બોલિવૂડમાં પ્રવેશી પોતાની એક અલગ ઓળખ બનાવી હતી. પોતાના અભિનયના દમ પર તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટા સ્ટાર્સને ટક્કર આપી હતી. પરંતુ વર્ષ 2020માં 14 જૂને સુશાંત સિંહ રાજપૂતના નિધનના સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. અભિનેતાના મૃત્યુ બાદ તેની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ રિલીઝ થઈ હતી. હવે આ ફિલ્મને લઈને એક અપડેટ સામે આવ્યું છે. 'દિલ બેચારા'ના નિર્માતા મુકેશ છાબરાએ આ ફિલ્મની સિક્વલ બનાવવાની જાહેરાત કરી છે.
જીહા, નિર્માતા મુકેશ છાબરાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. આ સાથે વર્ષ 2020માં રિલીઝ થયેલી ફિલ્મ 'દિલ બેચારા'ની સિક્વલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આપને જણાવી દઇએ કે, આ ફિલ્મ દિવંગત અભિનેતા સુશાંત સિંહની છેલ્લી ફિલ્મ હતી. જે તેના મૃત્યુ બાદ રિલીઝ થઈ હતી. મુકેશ છાબરાએ આ ફિલ્મથી કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી. હવે ફિલ્મ રિલીઝ થયાના વર્ષો બાદ ડિરેક્ટર મુકેશ છાબરાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું, 'દિલ બેચારા 2.'
આ તરફ દિવંગત અભિનેતા સુશાંતની છેલ્લી ફિલ્મની સિક્વલના સમાચાર સામે આવ્યા બાદ તેના ચાહકો ભાવુક થઈ ગયા છે અને સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જેમાં સુશાંત સિંહ રાજપૂત વગર, સુશાંતને ભૂલી શકાશે નહીં, મિસ યુ સુશાંત સહિતની પ્રતિક્રિયા દિવંગત અભિનેતાના ફેન્સ આપી રહ્યા છે. આ વેળા મ્યુઝિક કમ્પોઝર અને સિંગર અમાલ મલિકે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. હાલ તો દિલ બેચારા-2 એટલે કે દિલ બેચારાની સિકવલ અંગે સોશિયલ મીડિયા પર જાહેરાત કરવામાં આવી છે. આ માટે કોઇ વિશેષ માહિતી આપવામાં આવી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅયોધ્યા: ભગવાન સૂર્યએ રામલલાના કપાળ પર તિલક લગાવ્યું,ભવ્ય રીતે શણગારવામાં આવી રામનગરીને
April 06, 2025 12:16 PMપીએમ મોદીની મુલાકાત બાદ બાંગ્લાદેશનું વલણ બદલાયુ, હવે હિન્દુઓની સુરક્ષા માટે સેના ઉતારવામાં આવી
April 06, 2025 10:36 AMઅયોધ્યામાં રામલલ્લાની જન્મજયંતિના ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા
April 06, 2025 10:24 AMપીએમ મોદી આજે રામેશ્વરમમાં નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કરશે
April 06, 2025 09:07 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech