કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજા બન્ને આ કારણે ટીમ ઇન્ડિયા માંથી બહાર, 3 ખેલાડીઓને મળી તક

  • January 29, 2024 05:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ ઈજાના કારણે બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 ટેસ્ટ મેચોની શ્રેણીની અન્ય મેચ 2જી ફેબ્રુઆરીથી વિશાખાપટ્ટનમમાં રમાશે. આ બે ખેલાડીઓની જગ્યાએ ત્રણ ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.


રવીન્દ્ર જાડેજાની જગ્યાએ વોશિંગ્ટન સુંદરને જગ્યા મળી છે જ્યારે ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવા માટે બેતાબ રહેલા સરફરાઝ ખાનને પણ બોલાવવામાં આવ્યો છે. આ સિવાય સૌરભ કુમારને પણ ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે.


ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમ


રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ અય્યર, કેએસ ભરત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જસપ્રિત બુમરાહ, અવેશ ખાન, રજત ખાન. , સરફરાઝ ખાન, વોશિંગ્ટન સુંદર અને સૌરભ કુમાર.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application