ધુંવાવમાં કિન્નરનો અગમ્ય કારણોસર આપઘાત

  • February 28, 2023 06:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર નજીક ધુંવાવ હાઉસિંગ બોર્ડ ની કોલોની માં રહેતા એક કિન્નરે ગઈ રાત્રે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળાફાંષા દ્વારા આત્મહત્યા કરી લેતાં ચકચાર જાગી છે.


જામનગર રાજકોટ રોડ પર ધુવાવ નજીક આવેલી હાઉસિંગ બોર્ડની કોલોનીમાં રહેતા ભાવેશ ઉર્ફે નાયરા ભરતભાઈ લીલાપરા નામના ૧૯ વર્ષના કિન્નરે ગઈ કાલે પોતાના ઘેર લાકડાની આડશમાં દોરી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, તેથી તેને બેશુદ્ધ અવસ્થાના સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયા પછી ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.


આ બનાવ અંગે સંજયભાઈ ભરતભાઈ ચૌહાણે પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે તેમ જી.જી હોસ્પિટલે દોડી ગયો હતો, અને કિન્નરના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા તેના પરિચિતોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application