મોરબી પુલ દુર્ઘટનાનો આરોપી જયસુખ પટેલને જેલ હવાલે કરાયો

  • February 08, 2023 07:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મોરબી પુલ દુર્ઘટના મામલે આજે મોટો નિર્ણય લેવાયો છે. આજે જયસુખ પટેલને મોરબીની ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ઓરેવા ગ્રુપના ચેરમેન જયસુખ પટેલને જેલ હવાલે કરવાનો નિર્ણય લેવાયો છે. પોલીસ જયસુખ પટેલની મેડીકલ તપાસ કરાવીને જેલમાં મોકલાશે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ જેલ હવાલે કરાયો હતો.


જયસુખ પટેલે કોર્ટમાં આપ્યું હતું નિવેદન

ગુજરાત હાઇકોર્ટમાં મોરબી પુલ દુર્ઘટના મુદ્દે સુનાવણી થઈ હતી. જેમાં પુલની સ્થિતિ મુદ્દે રાજ્ય સરકારે કોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો. આ દરમ્યાન કોર્ટમાં સુનાવણી દરમિયાન જયસુખ પટેલના વકીલે મૃતકો,ઈજાગ્રસતોને વળતર ચુકવવાની તૈયારી દર્શાવી. ત્યારે હાઈ કોર્ટે ટકોર કરી કે વળતર ચુકવવાની વાત કરી જવાબદારીમાંથી છટકી નહિ શકો. કાયદેસરના પગલા લેવા કોર્ટ કરી ટકોર.  જયસુખ પટેલે દુર્ઘટના અંગે અફસોસ વ્યકત કર્યો.    



ક્યારે બની હતી દુર્ઘટના

30 ઓક્ટોબર 2022ના રોજ ગુજરાતના મોરબી શહેરમાં મચ્છુ નદી પરનો ઝુલતો પુલ તૂટી પડ્યો, જેના કારણે 130થી વધુ લોકોનાં મોત થયા હતા. 19મી સદીમાં બંધાયેલો આ પુલ ચાર દિવસ અગાઉ સમારકામ માટે લાંબા સમય સુધી બંધ રહ્યા બાદ નવા વર્ષના દિવસે ફરીથી ખોલવામાં આવ્યો હતો.









લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application