ખોડલધામ નિર્મિત કેન્સર હોસ્પિટલના ભૂમિદાનના સંકલ્પને ઘેર ઘેર પહોંચાડવા નરેશભાઈ પટેલ 22મીએ જામનગરમાં વિવિધ જગ્યાએ મિટીંગ યોજશે.

  • December 19, 2023 01:40 PM 

ખોડલધામ નિર્મિત કેન્સર હોસ્પિટલના ભૂમિદાનના સંકલ્પને ઘેર ઘેર પહોંચાડવા નરેશભાઈ પટેલ 22મીએ જામનગરમાં વિવિધ જગ્યાએ મિટીંગ યોજશે.

ધ્રોલ કાલાવડ જામજોધપુર (માંડાસણ) સહિત શહેરમાં મીટીંગ યોજશે અને સર્વ સમાજ માટે બનનારી અતિ આધુનિક કેન્સર હોસ્પિટલના ભૂમિ પૂજન નું આમંત્રણ આપશે

આગામી તારીખ 21મી જાન્યુઆરી 2024 ના રોજ કાગવડ સ્થિત શ્રી ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સાત વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા વધુ એક પ્રકલ્પ સાર્થક બનાવવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે રાજકોટ નજીક આવેલ અમરેલી ગામ ખાતે સર્વ સમાજ માટે અધ્યતન આધુનિક કેન્સર હોસ્પિટલ નું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે ત્યારે આગામી તારીખ 21 જાન્યુઆરી 2024 ના રોજ કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન કરવામાં આવશે ત્યારે આ ભવ્ય કાર્યક્રમ પ્રસંગના લાખો લોકો શ્રી ખોડલધામ કાગવડ મંદિરના પટાંણગણમાં સાક્ષી બનશે.

તેમજ કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજન માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ દ્વારા 17 ડિસેમ્બર થી ગુજરાત, મહારાષ્ટ્ર સહિત રાજ્યના પ્રવાસની શરૂઆત કરવામાં આવી છે અને તારીખ 17 ડિસેમ્બરના રોજ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલે પ્રવાસની શરૂઆત કરી છે.

શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા આગામી તારીખ 21-1-2024 ના રોજ રાજકોટ નજીક અમરેલી ગામ ખાતે સર્વ સમાજના લાભાર્થે નિર્માણ પામનાર શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજન માટે સંકલ્પબધ્ધ કરવા શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ જામનગર જિલ્લા સહિત શહેરમાં રૂબરૂ આમંત્રણ આપવા અને સૌને કેન્સર હોસ્પિટલમાં ભૂમિદાન માટે સંકલ્પબદ્ધ કરવા પધારી રહ્યા છે.

જેમાં જામનગર ખાતે તારીખ 22/12/2023 ના શુક્રવારના રોજ આમંત્રણ આપવા જામનગર પ્રધારી રહ્યા છે જ્યારે જામનગર જિલ્લાના પ્રવાસે ખોડલધામ ટ્રસ્ટ ચેરમેન નરેશભાઈ પટેલ જામનગર જિલ્લાના અલગ અલગ તાલુકામાં આમંત્રણ આપવા જઈ રહ્યા છે. જેમાં સૌપ્રથમ ધ્રોલ તાલુકામાં સવારે 10:00 કલાકે ડીએચ મુંગરા કન્યા વિદ્યાલય ખાતે આમંત્રણ આપવા પહોંચશે ત્યારબાદ કાલાવડ ખાતે બપોરે 2.30 વાગે હિરપરા કન્યા વિદ્યાલય ખાતે મોટી સંખ્યામાં હજારો લોકોની હાજરીમાં આમંત્રણ આપશે. ત્યારબાદ જામજોધપુર તાલુકાના માંડાસણ ગામે સાંજે 4.30 કલાકે શ્રી સરદાર પટેલ સેવા સમાજમાં લેઉવા પટેલ સમાજના લોકોને આમંત્રણ આપશે. ત્યારબાદ સાંજે 6:30 કલાકે જામનગર શહેરમાં સરદારધામ સોસાયટી રણજીતસાગર રોડ મયુર ટાઉનશીપ પાછળ હજારો સંખ્યામાં ખોડલધામના આગેવાનો તેમજ લેવા પટેલ સમાજના લોકોને રૂબરૂ આમંત્રણ આપવા પધારી રહ્યા છે.

જામનગર શહેરમાં સરદારધામ સોસાયટી રણજીતસાગર રોડ મયુર ટાઉનશીપ પાછળ ગ્રાઉન્ડમાં રાજકોટ નજીક અમરેલી ખાતે અતિ આધુનિક કેન્સર હોસ્પિટલનું નિર્માણ પામનાર છે તેના ભૂમિપૂજન માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ પધારી રહ્યા છે ત્યારે સાંજ છ વાગ્યે ખાસ લોકસાહિત્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મનસુખભાઈ વસોયા (ખીલોરીવાળા) ઉપસ્થિત રહેશે અને લોકસાહિત્ય ડાયરાની જમાવટ કરશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application