શું સાચે જ્હાન્વી કપૂરે તિરુપતિ મંદિરમાં બોયફ્રેન્ડ સાથે કરી લીધી છે ગુપચુપ લગ્ન ?

  • May 07, 2024 06:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર તેની સુંદરતાના કારણે ચર્ચામાં રહેતી હતી, પરંતુ હવે તે તેના બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથેના સંબંધોને કારણે ચર્ચામાં છે. બંને રોજ સાથે જોવા મળે છે. આટલું જ નહીં, બંને એકસાથે પાર્ટી અને ઈવેન્ટ્સમાં પણ હાજરી આપે છે. તાજેતરમાં જ જ્હાન્વી કપૂર વિશેની એક અફવા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. રિપોર્ટ્સનું કહેવું છે કે જ્હાન્વી કપૂર શિખર સાથે ત્રિરૂપતિ મંદિરમાં લગ્ન કરવા માંગતી હતી. જો કે, હવે અભિનેત્રીએ આ અફવાઓ પર પ્રતિક્રિયા આપી છે અને તેને પાયાવિહોણી ગણાવી છે.


ઇન્સ્ટન્ટ બોલિવૂડના ઇન્સ્ટાગ્રામ પેજ પર જ્હાન્વી કપૂર અને શિખરની તસવીરવાળી પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે જ્હાન્વી આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરમાં શિખર સાથે લગ્ન કરવા માંગે છે. હવે જ્હાન્વીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેણે કોમેન્ટ સેક્શનમાં જઈને લખ્યું, 'એનીથિંગ...'. આ પોસ્ટ હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.


કોફી વિથ કરણમાં તેના સાવકા ભાઈ અર્જુન કપૂર સાથે ડેબ્યૂ દરમિયાન જ્હાનવી કપૂરે લગ્ન પછીના તેના જીવન વિશે વાત કરી હતી. તે નિવેદન હવે બદલીને શિખર પહાડિયા સાથે જોડવામાં આવ્યું છે અને હવે તેને અલગ શૈલીમાં રજૂ કરવામાં આવી રહ્યું છે. કરણના શોમાં જ્હાન્વીએ કહ્યું હતું કે, 'મારા મનમાં શરૂઆતથી જ સ્પષ્ટ ચિત્ર છે. મારા લગ્ન તિરુપતિમાં થશે અને લગ્નમાં ફક્ત પરિવારના સભ્યો જ હાજર રહેશે. હું જાણું છું કે હું સોનેરી કાંજીવરમ સાડી પહેરીશ અને મારા વાળમાં ઘણા બધા મોગરા હશે. મારા પતિ ટ્રેડિશનલ લુંગીમાં હશે અને અમે કેળાના પાન પર ખાઈશું.


અન્ય એક મીડિયા વાતચીતમાં જ્હાન્વીએ કહ્યું હતું કે તે ઘણી વખત તિરુપતિ ગઈ છે અને ત્યાં તેના પ્રેમી સાથે લગ્ન કરવા માંગે છે. જ્હાન્વીએ કહ્યું, 'મને ભવ્ય લગ્નો પસંદ નથી. ભવ્ય લગ્ન આનંદની વાત છે, પરંતુ આટલા મોટા પ્રસંગમાં જ્યારે બધાનું ધ્યાન તમારા પર હોય છે ત્યારે તમે ગભરાઈ જાવ છો.


જ્હાન્વી હવે રાજકુમાર રાવ સાથે 'મિસ્ટર એન્ડ મિસિસ માહી'માં જોવા મળશે. તે ગુલશન દેવૈયા સાથે 'ઉલજ'માં પણ જોવા મળશે. આ ઉપરાંત તે 'સની સંસ્કારીની તુલસી કુમારી'માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં વરુણ ફરી એકવાર તેની સાથે જોવા મળશે. બીજી તરફ, તે જુનિયર એનટીઆર સાથે 'દેવારાઃ પાર્ટ વન'માં તમિલમાં પણ ડેબ્યૂ કરશે. આ પછી તે રામ ચરણની આગામી ફિલ્મમાં કામ કરવા તૈયાર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application