આજે અયોધ્યામાં રામલલ્લાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ રંગેચંગે સંપન્ન થયો હતો. આ અલૌકિક અને દિવ્ય અવસરને નિહાળનારાઓ પોતાની જાતને ધન્ય માની રહ્યા છે. પણ આશરે 500 વર્ષના સંધર્ષ બાદ આજે આ રળિયામણી ઘડી આવી હતી. રામમંદિર માટે અનેક લોકોએ બલિદાન આપ્યું છે. અનેક મહાનુભાવોએ સંધર્ષ વેઠ્યો છે અને યોગદાન આપેલું છે. જેના ફળ સ્વરૂપ આજની શુભ ઘડીને દેશવાસીઓએ હરખભેર માણી હતી.
આ અનેરા અવસર માટે વિવિધ ક્ષેત્રના વીવીઆઇપી મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ માટે ચૂકાદો આપનારા પાંચેય ન્યાયાધીશોને પણ નિમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમજ અયોધ્યા જમીન વિવાદ કેસના પૂર્વવાદી ઈકબાલ અંસારીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેઓ આ અવસરના સાક્ષી પણ બન્યા હતા.
બાબરી મસ્જિદના મુખ્ય સમર્થક તરીકે ઓળખાતા ઈકબાલ અંસારીએ આ વેળા કહ્યું હતું કે, અયોધ્યા શહેરમાં તમામ દેવી-દેવતાઓ બિરાજમાન છે. આજના દિવસે ભગવાન શ્રીરામનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ હોવાને કારણે તેમણે આજના દિવસને ઐતિહાસિક ગણાવ્યો હતો. ત્યારે બાબરીની લડાઈ લડનારા મુખ્ય પક્ષકાર ઈકબાલ અંસારીએ આજના ઐતિહાસિક દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યા ખાતે પ્રાણપ્રતિષ્ઠા કરી હોવા અંગે ખુશી વ્યક્ત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પધાર્યા સંત નવોદિત વંશાચાર્ય પંથ શ્રી ઉદીતમુની નામ સાહેબ
April 02, 2025 01:03 PMવકફ સુધારા બિલના સમર્થનમાં ઉતરી મુસ્લિમ મહિલાઓ, કહ્યું 'મોદીજી, તમે લડો... અમે તમારી સાથે છીએ'
April 02, 2025 01:00 PMજામનગરના હાપા યાર્ડ ખાતે ધાણાંની મબલક આવક, યાર્ડ સેક્રેટરીએ વિગતો આપી
April 02, 2025 12:59 PMલોકસભામાં વક્ફ બિલ રજૂ થતા વિપક્ષનો હોબાળો, કહ્યું, આ કાયદો દેશમાં થોપી બેસાડવા માંગો છો
April 02, 2025 12:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech