બાબરી માટે લડનારા ઈકબાલ અંસારીએ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં લીધો ભાગ અને વ્યક્ત કરી ખુશી

  • January 22, 2024 05:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે અયોધ્યામાં રામલલ્લાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ રંગેચંગે સંપન્ન થયો હતો. આ અલૌકિક અને દિવ્ય અવસરને નિહાળનારાઓ પોતાની જાતને ધન્ય માની રહ્યા છે. પણ આશરે 500 વર્ષના સંધર્ષ બાદ આજે આ રળિયામણી ઘડી આવી હતી. રામમંદિર માટે અનેક લોકોએ બલિદાન આપ્યું છે. અનેક મહાનુભાવોએ સંધર્ષ વેઠ્યો છે અને યોગદાન આપેલું છે. જેના ફળ સ્વરૂપ આજની શુભ ઘડીને દેશવાસીઓએ હરખભેર માણી હતી.

​​​​​​​આ અનેરા અવસર માટે વિવિધ ક્ષેત્રના વીવીઆઇપી મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ માટે ચૂકાદો આપનારા પાંચેય ન્યાયાધીશોને પણ નિમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમજ અયોધ્યા જમીન વિવાદ કેસના પૂર્વવાદી ઈકબાલ અંસારીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેઓ આ અવસરના સાક્ષી પણ બન્યા હતા.


બાબરી મસ્જિદના મુખ્ય સમર્થક તરીકે ઓળખાતા ઈકબાલ અંસારીએ આ વેળા કહ્યું હતું કે, અયોધ્યા શહેરમાં તમામ દેવી-દેવતાઓ બિરાજમાન છે. આજના દિવસે ભગવાન શ્રીરામનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ હોવાને કારણે તેમણે આજના દિવસને ઐતિહાસિક ગણાવ્યો હતો. ત્યારે બાબરીની લડાઈ લડનારા મુખ્ય પક્ષકાર ઈકબાલ અંસારીએ આજના ઐતિહાસિક દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યા ખાતે પ્રાણપ્રતિષ્ઠા કરી હોવા અંગે ખુશી વ્યક્ત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application