“હું જરૂર તેમાં શામિલ થઈશ”, રામ લલ્લાના અભિષેક સમારોહમાં બાબરી મસ્જિદના મોટા સમર્થક ઈકબાલ અંસારી પણ આપશે હાજરી  

  • January 06, 2024 05:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન કેસના પૂર્વ વાદી ઈકબાલ અંસારીને ટ્રસ્ટ દ્વારા અપાયું આમંત્રણ, ૨૦૨૦માં મંદિરના ભૂમિપૂજન માટે પણ આપવામાં આવ્યું હતું આમંત્રણ



અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ૨૨ જાન્યુઆરીએ અભિષેક સમારોહ યોજાશે. રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન કેસના પૂર્વ વાદી ઈકબાલ અંસારીને ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે. ઈકબાલ અન્સારીએ પોતે આ મામલે પુષ્ટિ કરી છે કે તેમને રામ મંદિરના અભિષેક સમારોહ માટે આમંત્રણ મળ્યું છે.


જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તમને આમંત્રણ મળ્યું છે, તો શું તમે પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપશો? આના પર અંસારીએ કહ્યું કે હા, મને આમંત્રણ મળ્યું છે, તો હું જરૂર તેમાં શામિલ થઈશ. 

ઈકબાલ અંસારી બાબરી મસ્જિદના મોટા સમર્થક રહ્યા છે. તેમને ૫ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ રામ મંદિરના ભૂમિપૂજન સમારોહમાં હાજરી આપવા માટે પણ ટ્રસ્ટ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. હાલમાં જ ૩૦ ડિસેમ્બરે પીએમ મોદીએ અયોધ્યાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન અંસારીએ કતારમાં ઉભા રહીને વડાપ્રધાનનું સ્વાગત કર્યું અને તેમના પર ફૂલોની વર્ષા પણ કરી હતી.
​​​​​​​

પીએમ મોદીના રોડ શો દરમિયાન જ્યારે કાફલો પંજી ટોલા વિસ્તારમાંથી પસાર થયો ત્યારે ઈકબાલે કહ્યું હતું કે મોદી અમારા શહેરમાં આવ્યા છે. તે આપણા મહેમાન અને આપણા વડાપ્રધાન છે. ઈકબાલ અંસારીનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અયોધ્યાની તસવીર બદલાઈ ગઈ છે. શહેરમાં વિકાસના અનેક કામો થયા છે. રામ લલ્લાના પક્ષમાં નિર્ણય આવ્યા બાદ ઈકબાલ અન્સારીએ દેશના મુસ્લિમોને સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સન્માન કરવાની અપીલ કરી હતી. 

ઈકબાલના પિતા હાશિમ અંસારી જમીન વિવાદ કેસમાં સૌથી વૃદ્ધ વકીલ હતા. ૨૦૧૬માં ૯૫ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. આ પછી ઈકબાલે આ મામલાને કોર્ટમાં આગળ ધપાવ્યો. ૯ નવેમ્બર ૨૦૧૯ના રોજ સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં વિવાદિત સ્થળ પર પોતાનો ચુકાદો આપ્યો હતો. સાથે જ એક સરકારી ટ્રસ્ટની રચના કરીને રામ મંદિર બનાવવા માટે કહેવામાં આવ્યું. આ સિવાય તેમને મસ્જિદ માટે પાંચ એકરનો વૈકલ્પિક પ્લોટ શોધવા માટે કહેવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application