જેની વર્ષોથી રાહ જોવાઇ રહી હતી તે શુભ ઘડી આજે આવી છે. ત્યારે સમગ્ર દેશમાં ઉત્સાહ છવાયો છે. વિવિધ ક્ષેત્રની હસ્તીઓ અયોધ્યાધામ ખાતે પહોચી ગઇ છે. ઉદ્યોગપતિ હોય, રાજનેતા હોય કે અભિનેતા સૌ કોઇ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. સમગ્ર દેશ રામમય બની ગયો છે. ઠેર-ઠેર જયરામના નારા અને ધાર્મિક આયોજનો પણ થયા છે. એટલું જ નહીં રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને કારણે દેશનું અર્થતંત્ર સકારાત્મક રીતે પ્રભાવિત થયું છે. બનારસની બજાર, દિલ્હીની બજાર સહિત દેશની બજારોમાં છેલ્લા કેટલાક દિવસોથી વેપાર ધંધા ધમધમી રહ્યા છે. તો આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અયોધ્યામાં રામમંદિરના ભવ્ય કાર્યક્રમના આધારે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેની ભારતની અર્થવ્યવસ્થા પર મોટી અસર પડશે.
આપને જણાવી દઇએ કે, અબજોપતિ ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણીએ આજે રામ મંદિરના અભિષેક સમારોહના દિવસે એક ટ્વીટ કરી તેમની પ્રતિક્રિયા આપી છે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ અયોધ્યા શહેર અને રામમંદિરને દેશ-વિદેશ માટે જ્ઞાન અને શાંતિનું પ્રવેશદ્વાર બનાવવાનું આહવાન કર્યું છે. ગૌતમ અદાણીએ પોસ્ટમાં લખ્યું હતું કે, "આજે આ શુભ અવસર પર જ્યારે અયોધ્યામાં રામ મંદિરના દરવાજા ખુલશે, તેને જ્ઞાન અને શાંતિનું પ્રવેશદ્વાર બનાવીએ, જે સમુદાયોને ભારતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સંવાદિતાના શાશ્વત દોરા સાથે બાંધે."
મહત્વનું છે કે, રામ મંદિરમાં યોજાનાર અભિષેક સમારોહની વ્યાપક અસર દેશની અર્થવ્યવસ્થા પર જોવા મળશે અને અયોધ્યા શહેર તેના કેન્દ્રમાં હશે. વિદેશી એજન્સીઓ પણ અયોધ્યામાં યોજાનાર ભવ્ય કાર્યક્રમને ધ્યાનમાં રાખી રહી છે. એક રિપોર્ટમાં આ અંગે વિશ્લેષણ પણ આપવામાં આવ્યું છે. જેમાં અયોધ્યા કાર્યક્રમના પરિપ્રેક્ષ્યમાં અને તેના પછી આ પવિત્ર શહેરના પર્યટનના પરિપ્રેક્ષ્યમાં મોટી વાતો કહેવામાં આવી છે. અયોધ્યાના રૂપમાં દેશને એક એવું ટુરિઝમ હોટસ્પોટ મળ્યું છે જે દર વર્ષે 5 કરોડથી વધુ પ્રવાસીઓને આકર્ષી શકે છે. આમ, ધાર્મિક નગરી અયોધ્યા પર્યટનનું ઉભરી રહેલું ક્ષેત્ર છે. તેમજ તેને કારણે અર્થતંત્રના વિકાસને વેગ મળશે તેમ પણ હાલના સંજોગોમાં જોવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech