બાંગ્લાદેશ હિંસા પર ભારત સરકારે ભર્યું મોટું પગલું, સરહદ પર નજર રાખવા કરાઈ સમિતિની રચના

  • August 09, 2024 04:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




ભારત સરકાર બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિને લઈને સતર્ક છે. હવે કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વિટ કરીને માહિતી આપી છે કે, સરકારે સરહદ પર નજર રાખવા માટે એક સમિતિની રચના કરી છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સના ઈસ્ટર્ન કમાન્ડના એડીજીને કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ પહેલા બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)એ બાંગ્લાદેશ બોર્ડર પર તકેદારી વધારી છે. જણાવી દઈએ કે, બાંગ્લાદેશમાં હિંસાની ઘટનાઓએ ભારત સરકારની ચિંતા વધારી દીધી છે.



કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વીટ કર્યું કે, બાંગ્લાદેશમાં ચાલી રહેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને, મોદી સરકારે ભારત-બાંગ્લાદેશ બોર્ડર (IBB) પર વર્તમાન સ્થિતિ પર નજર રાખવા માટે એક સમિતિની રચના કરી છે. આ સમિતિ બાંગ્લાદેશમાં પોતાના સમકક્ષ અધિકારીઓ સાથે સંવાદ બનાવશે જેથી ત્યાં રહેતા ભારતીય નાગરિકો, હિન્દુઓ તથા લઘુમતિ સમુદાયોની સુરક્ષા નિશ્વિત કરવામાં આવે. આ સમિતિનું નેતૃત્વ બોર્ડર સિક્યોરિટી ફોર્સના ઈસ્ટર્ન કમાન્ડના એડીજી કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application