ઘટતા તાપમાન અને શીત લહેરોના રૂપમાં શિયાળો તેના ઉગ્ર સ્વરૂપમાં આવી ગયો છે. શીત લહેર ઘણા લોકો માટે જીવલેણ પણ બની શકે છે. હાલ જે પ્રકારે ઠંડી વધી રહી છે. તે વધતી જતી ઠંડીના કારણે લોકોના સ્વાસ્થ્યને પણ ઘણી અસર થઈ રહી છે. શિયાળાની ઋતુમાં શરદી, ફ્લૂ અને ન્યુમોનિયા જેવા રોગોનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. આ સિવાય શિયાળામાં પોતાની કાળજી ન રાખવાથી હાર્ટ એટેક, સ્ટ્રોક અને હાઈબ્લડ પ્રેશર પણ થઈ શકે છે. તેથી એ મહત્વપૂર્ણ છે કે તમે તમારી જાતને ઠંડીથી બચાવો. શરદીથી બચવા માટે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જેથી શરદી તમારા સ્વાસ્થ્યને અસર ન કરે. તો આજે અમે તમને કેટલીક એવી જાણકારી આપીશું જેને અપનાવી તમે ઠંડીથી રક્ષણ મેળવી શકો છો.
બિનજરૂરી બહાર નિકળવાનું ટાળો
ઘરના કામકાજ કે ઓફિસ જવા નીકળવું પડે તે સ્વાભાવિક છે પણ કામકાજ સિવાય બહાર નિકળવાનું ટાળી દેવું જોઇએ કે જેથી તમે તમારી જાતને ઠંડીથી બચાવી શકો. અનિવાર્ય સંજોગોમાં બહાર નિકળવુ પડે તો શક્ય તેટલા કામો પૂરા કરી ઘેર આવવું, જેથી વારંવાર બહાર નીકળવું પડે નહી અને ઠંડીથી પણ બચી શકાય.
લેયરિંગ કપડાં
તમારી જાતને શિયાળાથી બચાવવા માટે તમારી ડ્રેસિંગ સ્ટાઇલ બદલો. કોટનનું પહેલું લેયર રાખો, જેથી પરસેવાના કારણે કોઈ સમસ્યા ન થાય. ત્યાર બાદ થર્મલ વસ્ત્રો, સ્વેટર અને જેકેટ વગેરે પહેરો, જેથી બહારનું વાતાવરણ તમારા શરીરની ગરમીમાં ઘટાડો ન કરે. ઋતુને ધ્યાનમાં રાખી કપડા પહેરવામાં બદલાવ કરવામાં આવે તો પણ રાહત અનુભવી શકાય છે.
તમારા કાન અને પગ ઢાંકો
તમારા કાન ખુલ્લા હોવાને કારણે તમારા શરીરની ગરમી ઓછી થવા લાગે છે. ઠંડી હવા કાન દ્વારા પણ તમારા શરીરમાં પ્રવેશી શકે છે અને તમને શરદીનો શિકાર બનાવી શકે છે. વધુમાં, તમારા પગને ગરમ રાખવાથી તમારા શરીરનું તાપમાન સરળતાથી ઘટતું નથી. તેથી તમારા કાન અને પગને ઢાંકીને રાખો. જે તમારા શરીરને ગરમ રાખશે અને ઠંડીની અસરથી બચવામાં મદદ કરશે.
હાઇડ્રેટેડ રહો
શિયાળામાં તરસ ઓછી લાગવાને કારણે આપણે ઘણીવાર ઓછું પાણી પીતા હોઈએ છીએ. જેના કારણે ડીહાઈડ્રેશન એટલે કે પાણીની ઉણપ થઈ શકે છે. તેથી, પુષ્કળ પાણી પીવાનો પ્રયાસ કરો. જેથી તમે હાઇડ્રેટેડ રહી શકો. જો તમે ઇચ્છો તો તમે ગરમ પાણી, સૂપ, ચા જેવા ગરમ પીણાંની મદદથી તમારી જાતને હાઇડ્રેટેડ અને ગરમ બંને રાખી શકો છો.
તમારું મોં ઢાંકો અને બહાર જાઓ
કોલ્ડવેવને લીધે સામાન્ય રીતે હિમ લાગવાનું જોખમ રહેલું છે. જેના કારણે તમારી ત્વચાનો રંગ બદલાઈ શકે છે અને ત્વચા સુન્ન થઈ શકે છે. તેથી બહાર જતી વખતે તમારા ચહેરાને ઢાંકવાનો પ્રયાસ કરો. આ માટે જો તમે ઇચ્છો તો તમે માસ્ક અથવા સ્કાર્ફ વગેરેનો ઉપયોગ કરીને તમારા ચહેરાને ઢાંકી શકો છો.
કસરત કરો
વ્યાયામ તમારા રક્ત પરિભ્રમણને સુધારે છે અને તમારી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે. તેથી, દરરોજ થોડો સમય કસરત કરવાનો પ્રયાસ કરો. જે તમારા મૂડને પણ સુધારશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતનું વિમાન તોડી પાડવાના પાકિસ્તાનના દાવાનો પર્દાફાશ, પુરાવા માંગ્યા તો આવું કર્યું
May 08, 2025 02:43 PMપોરબંદરમાં એક ઇંચ વરસાદ વરસ્યો
May 08, 2025 01:43 PMપોરબંદરમાં નવરંગ સંસ્થા દ્વારા ચિત્રકલાનો વર્કશોપ યોજાયો
May 08, 2025 01:38 PMજામનગરમાં રસ્તા રોકો આંદોલન, મહિલાઓએ આપી પ્રતિક્રિયા
May 08, 2025 01:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech