કર્ણાટકમાં IAFનું કિરણ ટ્રેનિંગ એરક્રાફ્ટ થયું ક્રેશ, અકસ્માતનું કારણ જાણવા કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ

  • June 01, 2023 01:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કર્ણાટકના ચામરાજનગર જિલ્લાના મકાલી ગામ પાસે ભારતીય વાયુસેનાનું કિરણ ટ્રેનર વિમાન ક્રેશ થયું હતું. મહિલા પાયલટ સહિત બંને પાઈલટ સુરક્ષિત છે. અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.IAFના એક અધિકારીએ આ ઘટના અંગે માહિતી આપી છે.


આ સાથે ટ્વિટમાં લખવામાં આવ્યું છે કે બંને ક્રૂ મેમ્બર પ્લેનમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા. હાલ અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ ભારતીય વાયુસેનાના અપાચે હેલિકોપ્ટરનું લેન્ડિંગ મધ્ય પ્રદેશના ભીંડમાં કરવામાં આવ્યું હતું. અપાચે હેલિકોપ્ટરમાં નાની ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. જે બાદ અપાચેનું સાવચેતીરૂપે લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application