સુષ્મા અંધારે શિવસેના(ઉદ્ધવ જૂથ)ના નેતા સુષ્મા અંધારે માટે આવેલું હેલિકોપ્ટર મહારાષ્ટ્રના મહાડમાં ક્રેશ થયું છે. સુષ્મા અંધારે હેલિકોપ્ટરમાં ચઢી શકે તે પહેલા જ હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું. પાયલોટ સુરક્ષિત હોવાનું કહેવાય છે .
સુષ્મા અંધારેને કંઈ ઈજા થઇ નથી.
હેલિકોપ્ટર ક્રેશ થવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. સુષ્મા અંધારે હેલિકોપ્ટરમાં ચઢી શકે તે પહેલા હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું. સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે. સવારે 9.30 વાગે સુષ્મા અંધારે બારામતી તરફ જઈ રહ્યા હતા.
તે બારામતીમાં આયોજિત મહિલા મેળામાં ભાગ લેવા માટે મહાડથી બારામતી જવા રવાના થયા હતા. હેલિકોપ્ટર અકસ્માત સુષ્મા અંધારેની સામે જ થયો હતો. આ અકસ્માતમાં હેલિકોપ્ટરના ટુકડા થઈ ગયા હતા. ખાસ વાત એ છે કે હેલિકોપ્ટરનો પાયલોટ સુરક્ષિત છે. સ્થાનિક લોકોની મદદથી પાયલટને બહાર કાઢવામાં આવ્યો હતો.
કોણ છે સુષ્મા અંધારે?
સુષ્મા અંધારે મહારાષ્ટ્રના રાજકારણમાં જાણીતું વ્યક્તિત્વ છે. તે એક વકીલ, લેક્ચરર અને લેખક પણ છે. તેમની પાસે પોલિટિકલ સાયન્સમાં ડોક્ટરેટ અને માસ્ટર્સ ડિગ્રી છે. તેઓ દલિત-આંબેડકરી ચળવળ તેમજ આદિવાસી સમુદાયોમાં તેમના કામ માટે જાણીતા છે. તે બૌદ્ધ ધર્મમાં માને છે. તે ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના પાર્ટીનો ભાગ છે. તે તેના જુસ્સાદાર ભાષણો માટે જાણીતી છે. તે જુલાઈ 2022માં શિવસેનામાં જોડાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : હોટલમાં જમતી વેળાએ કેરીના રસમાંથી વંદો નીકળ્યો
May 20, 2025 05:26 PMવાળને નેચરલી બ્લેક કરવા માટે, મહેંદીમાં મિક્સ કરો આ 3 વસ્તુઓ
May 20, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech