એસ્મા છતાં આરોગ્ય કર્મીઓ લડી લેવાના મૂડમાં, અચોક્કસ મુદ્દતની હડતાળનું એલાન

  • March 21, 2025 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ગુજરાત રાજ્યના આરોગ્ય કર્મચારીઓની છેલ્લા ત્રણ વર્ષથી માગણી સંતોષવામાં નહી આવતા આખરે સરકાર સામે મોરચો માંડ્યો છે. રાજ્ય સરકાર દ્વારા એસ્મા જેવું શસ્ત્ર ઉગામવા છતાં કર્મચારીઓ લડી લેવાના મૂડમાં છે. આ આંદોલનના કર્મચારીઓના નેતા રણજીતસિંહ મોરીએ જ્યાં સુધી તમામ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.અને અચોક્કસ મુદતની હડતાલ યથાવત રહેશે.


આરોગ્ય કર્મચારી મહાસંઘના જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણ વર્ષથી સરકારમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈપણ ઉકેલ આવ્યો ન હતો આથી પહેલી માર્ચ સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ પાંચમી માર્ચે રાજ્યભરમાં આરોગ્ય કર્મચારીઓ સત્યાગ્રહણ સાથે પ્રદર્શન કર્યું હતું સાતમી માર્ચથી ઓનલાઇન અને ઓફલાઈન કામગીરીનું બહિષ્કાર શરૂ થયો હતો બાદ 17મી માર્ચ થી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે.

અહીં નોંધવું જરૂરી છે કે ગઈકાલે વિધાનસભાને ઘેરાવો કરવા જતાં મોટી સંખ્યામાં કર્મચારીઓની અટકાયત કરવામાં આવી છે આજે ફરી મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ રામકથા મેદાનમાં ભેગા થતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application