નદીમાંથી મળી લાશ : 15 જૂને ઘરેથી નીકળ્યો હતો વિષય પટેલ
કેનેડાના મેનિટોબા પ્રોવિન્સના બ્રેન્ડન સિટીમાં રહેતા ગુજરાતી યુવક વિષય પટેલનો મૃતદેહ મળી આવ્યો છે. વિષય 15 જૂનની રાત્રે ઘરેથી ક્યાંક ચાલ્યો ગયો હતો, તેના ગુમ થવાની ફરિયાદ 16 જુલાઈએ સવારે દસ વાગ્યે નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરતાં વિષય છેલ્લે શહેરના ડિસ્કવરી સેન્ટર એરિયામાં જોવા મળ્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ વિસ્તારમાંથી પસાર થતી નદીમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, આ દરમિયાન 18 જૂનના રોજ વિષયના પરિવારના સભ્યોને અસિનેબોઈન નદી પર આવેલા હાઈવે 110 બ્રિજ નજીકથી વિષયના કપડાં મળી આવ્યા હતા. ત્યારબાદ આ વિસ્તારમાં પણ પોલીસે સર્ચ ઓપરેશન ચલાવતા આખરે નદીમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો.
જોકે, પોલીસે આ મૃતદેહ કોનો છે તે અંગે કોઈ જાણકારી હજુ સુધી જાહેર નથી કરી. પોલીસે જોકે આ કેસમાં મૃતકની હત્યા કરાઈ હોવાની શક્યતાને નકારી દીધી છે. જોકે, છેલ્લા ત્રણ મહિનામાં કેનેડામાં નદીમાં ડૂબવાથી આ ત્રીજા યુવકનું મોત થયું છે. આ પહેલા આવા જ જે બે કેસ બન્યા હતા તેમાં પણ મોતનું સાચું કારણ હજુ સુધી બહાર નથી આવ્યું.
મૃતક વિષય પટેલની ઉંમર માત્ર 20 વર્ષ હતી, તે 15મી જૂને રાત્રે પોતાના ઘરેથી ગ્રે કલરની હોન્ડા સિવિક કાર લઈને નીકળ્યો હતો. વિષયે ત્યારે બ્લેક કલરનાં ટી-શર્ટ અને સ્વેટપેન્ટ્સ પહેર્યાં હતાં. જોકે, તે જે કાર લઈને ઘરેથી નીકળ્યો હતો તે કાર 16મી જુલાઈએ સાંજે એક મોલના પાર્કિંગ લોટમાંથી મળી આવી હતી, પરંતુ વિષયનો કોઈ અતોપતો નહોતો. આ દરમિયાન પોલીસને એવી માહિતી મળી હતી કે તેની કાર જે મોલના પાર્કિંગમાંથી મળી હતી ત્યાંથી તે નદી તરફ ચાલતો જતો જોવા મળ્યો હતો. આ જ બાતમીના આધારે પોલીસે નદીકાંઠાના વિસ્તારમાં વિષયની શોધખોળ શરૂ કરી હતી, તેવામાં તેના કપડાં મળી આવ્યા બાદ તેના પરિવારજનોને કંઈક અજૂગતું થયું હોવાની શંકા થઈ હતી. આખરે પોલીસે વિષયના કપડાં જ્યાંથી મળ્યા હતા ત્યાં સર્ચ ઓપરેશન વઘુ સઘન બનાવતા એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.
પોલીસે મૃતકની ઓળખ જાહેર નથી કરી, પરંતુ આ વિષયનો હોવાનું જ મનાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, વિષયને શોધવા માટે તેનો ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર શેર કરીને પોલીસે જનતાની મદદ માગી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : મસાલા પાપડમાં ઈયળ નીકળવા મામલે JMC ફૂડ શાખાના અધિકારીએ આપી પ્રતિક્રિયા....
July 08, 2024 06:32 PMજામનગરના ઉમિયા નગરમાં ધોડાએ નિવૃત્ત શિક્ષકને અડફેટે લીધા...
July 08, 2024 06:21 PMકેરાટિન કે સ્મૂથનિંગ, તમારા વાળ માટે ક્યું છે શ્રેષ્ઠ?
July 08, 2024 06:19 PMજામનગરમાં વોર્ડ નબર 3ના કોર્પોરેટર દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું
July 08, 2024 06:14 PMજય શાહની BCCIમાંથી ICCમાં જવાની અટકળો, જાણો ક્યારે થશે અધ્યક્ષ પદ માટે ચૂંટણી?
July 08, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech