દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસના 138મા સ્થાપના દિવસે શરૂ કરાયેલા ડોનેટ ફોર કન્ટ્રી અભિયાનમાં કાર્યકરોએ વધુ યોગદાન આપી રહ્યા છે. કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર, દાન આપનારા રાજ્યોમાં તેલંગાણા રાજ્ય પ્રથમ સ્થાને છે જ્યારે, હરિયાણા બીજા સ્થાને છે.
અત્યાર સુધી, તેલંગાણાનું યોગદાન સૌથી વધુ 1 કરોડ 78 લાખ રૂપિયા છે, જ્યારે હરિયાણાનું યોગદાન 1 કરોડ 38 લાખ રૂપિયા સાથે બીજા સ્થાને છે. 1 કરોડ 26 લાખના યોગદાન સાથે મહારાષ્ટ્ર ત્રીજા સ્થાને છે. રાજસ્થાનનો ફાળો 1 કરોડ 21 લાખ રૂપિયા અને ઉત્તર પ્રદેશનો ફાળો 71 લાખ રૂપિયા છે.
આ અભિયાન ૨૮મી ડિસેમ્બરે કોંગ્રેસના સ્થાપના દિવસ પર શરૂ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસની વેબસાઈટ પર નોંધાયેલી માહિતી અનુસાર દાનની બાબતમાં મહારાષ્ટ્ર ત્રીજા રાજસ્થાન ચોથા, ઉત્તર પ્રદેશ પાંચમા અને મધ્યપ્રદેશ છઠ્ઠા ક્રમે છે. દિલ્હી સાતમા નંબરે અને પંજાબ આઠમા નંબરે છે. આ પછી કર્ણાટક અને બિહાર આવે છે. કોંગ્રેસને દાન આપનારા આ ટોપ 10 રાજ્યોમાં ગુજરાતનું નામ શામેલ નથી. આ ચોકાવનારી બાબત છે કેમ કે દાન આપવામાં મોખરે ગણાતું ગુજરાત ટોપ 10માં પણ ન પહોચતા રાજકીય આંકડાઓ સ્પષ્ટ કરે છે કે, ગુજરાતમાં ભાજપની પકડ વધુ મજબૂત છે.
આ અભિયાન દ્વારા લોકોને 138 રૂપિયા, 1380 રૂપિયા, 13,800 રૂપિયા અથવા તેના કરતા 10 ગણું એટલે કે 1 લાખ 38 હજાર રૂપિયા દાન કરવાની અપીલ કરવામાં આવી છે. આ પહેલ 1920-21માં મહાત્મા ગાંધીના ઐતિહાસિક 'તિલક સ્વરાજ ફંડ'થી પ્રેરિત છે. સૂત્રો મુજબ 10 જાન્યુઆરીએ રાજ્ય સ્તરીય બેઠક પછી, પાર્ટીના કાર્યકરો ઘરે-ઘરે જશે અને દરેક બૂથમાં ઓછામાં ઓછા 10 ઘરોને લક્ષ્ય બનાવશે અને દરેક ઘરમાંથી ઓછામાં ઓછા 138 રૂપિયાનું યોગદાન મેળવવાની ખાતરી કરશે. આ ફાળો સીધો ઓનલાઈન કોંગ્રેસ મુખ્યાલય સુધી પહોંચી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech