મહિલાઓને કોસ્ટ ગાર્ડમાં કાયમી કમિશન આપો : સુપ્રીમ  

  • March 14, 2024 05:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


“જહાજને મહિલાઓની સુવિધા અનુસાર તૈયાર કરવામાં આવશે, અમે આ પડકારોને તબક્કાવાર ઉકેલ લાવીશું”, સુપ્રીમ કોર્ટમાં આઈસીજીનું નિવેદન


સ્થાયી કમિશનની માંગ કરતી એક મહિલા અધિકારીની અરજી પર, ભારતીય કોસ્ટ ગાર્ડ (આઈસીજી)એ ગતરોજ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે સમુદ્રી કામગીરી પર મહિલા અધિકારીઓને મોકલવા માટે જહાજોના માળખામાં હજુ ઘણા ફેરફારો કરવાના બાકી છે. આઈસીજીએ મુખ્યત્વે દરિયાઈ સેવા છે, તેમાંથી 66 %  કર્મચારીઓને ફ્લોટિંગ એકમો ચલાવવા માટે મંજૂરી આપવામાં આવી છે અને માત્ર 33 % કર્મચારીઓને કિનારા આધારિત એકમો ચલાવવા માટે મંજૂરી આપવામાં આવી છે. 


કાયમી પ્રવેશ માટે મહિલા અધિકારીઓની માત્ર 10 ટકા નિમણૂકને ધ્યાનમાં લેવામાં આવી હતી. તે સમયે એવું માનવામાં આવતું હતું કે જહાજો મહિલાઓના રહેઠાણ અને સગવડ માટે બનાવવામાં આવ્યાં નથી. જહાજોને મહિલાઓ માટે અલગ આવાસ અથવા સુવિધાઓ સાથે ડિઝાઇન કરવામાં આવ્યા નથી. આઈસીજી આ પડકારોને તબક્કાવાર ઉકેલશે. જેમાં મહિલા અધિકારીઓને સમાવવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવાનો સમાવેશ થાય છે. જહાજોને મહિલાઓ માટે રહેવાની સુવિધા સાથે ડિઝાઇન કરવામાં આવશે.

અગાઉ, અરજી પર સુનાવણી કરતી વખતે, સીજેઆઈ ડી વાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે મહિલાઓને કાયમી કમિશન ન આપવા પર આઈસીજી પાસેથી જવાબ માંગ્યો હતો. જોકે, સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અન્ય સંરક્ષણ દળો (આર્મી, નેવી અને એરફોર્સ) એ મહિલાઓને કાયમી કમિશન આપવાનું શરૂ કર્યું છે. આઈસીજીએ એટર્ની જનરલને એમ પણ કહ્યું કે વર્તમાન પેઢીમાં મહિલાઓને સમાન તકો નકારવા માટે કાર્યાત્મક ભેદભાવ જેવી દલીલો આપી શકાય નહીં. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે કેન્દ્રને કોસ્ટ ગાર્ડમાં મહિલાઓને કાયમી કમિશન આપવાનું સુચન કર્યું છે.


મહિલા અધિકારીને સુપ્રીમ પાસેથી મળી રાહત 

અરજદાર મહિલા અધિકારીને 2009માં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. તેમને 2015માં ડેપ્યુટી કમાન્ડન્ટ અને 2021માં કમાન્ડન્ટ તરીકે બઢતી આપવામાં આવી હતી. તેણે 2021માં કમાન્ડિંગ ઓફિસરો પાસેથી કાયમી કમિશન માટે વિનંતી કરી હતી. એક વર્ષ પછી, તેણીનો વિનંતી પત્ર એ આધાર પર કાર્યવાહી કર્યા વિના પાછો ફર્યો કે સંરક્ષણ મંત્રાલયનો 25 ફેબ્રુઆરી, 2019 ના રોજનો પત્ર, મહિલા અધિકારીઓના કાયમી સમાવેશ અંગેનો આઈસીજીને લાગુ પડતો નથી. તેમણે આ મામલો હાઈકોર્ટમાં ઉઠાવ્યો હતો, પરંતુ કોર્ટે રાહત આપવાનો ઈન્કાર કર્યો હતો. આ પછી તેમણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application