"મારે સરકારી સહાય નથી જોતી, મેં મારું બધું ગુમાવી દીધું છે", ગેમઝોન અગ્નિકાંડ બાદ હજુ પણ લાપતા 5 લોકોના પરીજનનો વિલાપ

  • May 26, 2024 02:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં  ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 32 લોકોના મોત થયાની આશંકા સેવાઇ રહી છે, જો કે હજુ પણ આ આંકડો વધી શકે છે. ત્યારે હાલ સમાચાર આવી રહ્યા છે કે, એક જ પરિવારના આઠ સભ્યો ગેમ ઝોનમાં ગયા હતા. જેમાંથી 3 નો બચાવ થઈ ગયો હતો, પણ હજુ 5 સભ્યોની કોઈ ભાળ મળી નથી. 





જિલ્લાના સાંગણવા ગામના વિરેન્દ્રસિંહ તેમના પત્ની, પુત્ર અને સંબંધીના બાળકો સાથે ગેમિંગ ઝોનમાં ગયા હતા, તેમના જણાવ્યા મુજબ અચાનક ગેમિંગ ઝોનમાં આગ લાગી ત્યારે વિરેન્દ્રસિંહ તો સલામત સ્થળે હતા પરંતુ બાળકો આગમાં ફસાયેલા હોવાથી તેઓ એમને બચાવવા માટે ઉપર ગયા હતા. પરિવારને બચાવવા જતાં વિરેન્દ્રસિંહ પણ આગકાંડનો ભોગ બન્યા હતા. આ પરિવારના બે સભ્યો હાલ હોસ્પિટલમાં દાખલ છે અને 5 સભ્યો હાલ ગુમ છે.


પરિવારના સભ્યોએ ગુનેગારોને સખત સજાની માંગ કરી છે, પ્રદિપસિંહ ચૌહાણ નામના તેમના પરિજનએ ભાવુક થતાં કહ્યું છે કે, મારે સરકારી સહાય નથી જોઈતી, મેં મારું બધું જ ગુમાવી દીધું છે, અને સજા થયા બાદ જો ગુનેગારોને જામીન મળશે તો હું તેમને મારી નાખીશ. હાલમાં તંત્ર દ્વારા ઓળખાણ ન થઈ શકે તેવા મૃતદેહના સેમ્પલ ડી એનએ ટેસ્ટ કરાવવા માટે ગાંધીનગર મોકલાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application