કેટલાક લોકોને રાત્રે સૂતી વખતે ડરામણા કે ખરાબ સપના આવે છે. જેને નાઇટમેર પણ કહેવાય છે. આ કારણે ઘણી વખત ઊંઘ તૂટી જાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવા સપના શા માટે આવે છે. નિષ્ણાતો કહે છે કે આપણે દિવસભર જે કંઈ વિચારીએ છીએ અથવા આપણી આસપાસ જે કંઈ પણ થાય છે તે સપનામાં દેખાય છે. મતલબ કે સપના એ મગજની પ્રવૃત્તિનો એક ભાગ છે. જેમાં લાગણીઓ અને યાદોનું એકીકરણ છે. એટલે કે તે મગજની સામાન્ય પ્રક્રિયા છે.
વૈજ્ઞાનિકના મતે ડરામણા કે ખરાબ સપના આવવા પાછળનું કારણ હજુ પણ રહસ્ય છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તેમના આવવાનું કારણ શું છે, પરંતુ મગજ પર કરવામાં આવેલા અભ્યાસમાં એવી ઘણી બાબતો સામે આવી છે જે ખરાબ સપનાઓનું કારણ બની શકે છે. આવા સપનાનું કારણ માનસિક તણાવ પણ હોઈ શકે છે. જે લોકો શાળા અથવા કામ વિશે વધુ ચિંતા કરે છે તેઓને અન્ય કરતા વધુ ખરાબ સપના જોવા મળે છે. તેમને જીવનમાં ઘણા મોટા ફેરફારો, કોઈ પ્રિય વ્યક્તિનું મૃત્યુ જેવા સ્વપ્નો આવી શકે છે.
આંખની ઝડપી હલનચલન, અનિયમિત ધબકારા અને શ્વાસમાં વધારો થઈ શકે છે. હાર્વર્ડના સંશોધકોએ જણાવ્યું હતું કે જ્યારે આરઈએમનો સમયગાળો લાંબો હોય ત્યારે ખરાબ સપના આવે છે. આના માટે અન્ય ઘણા કારણો હોઈ શકે છે. તણાવ, ચિંતા, અનિયમિત ઊંઘ, દવાઓનું સેવન, માનસિક વિકૃતિઓ પણ ડરામણા સપનાઓનું કારણ બની શકે છે. પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર પણ કારણ હોવાનું જણાયું છે.
શારીરિક શોષણ, જાતીય શોષણ કે અકસ્માત પછી ખરાબ સપનાં આવવા એ એકદમ સામાન્ય બાબત છે. તેનું જોખમ PTSD ધરાવતા લોકોમાં વધુ જોવા મળ્યું છે. તે માનસિક સ્વાસ્થ્ય પર પણ આધાર રાખે છે. બાયપોલર ડિસઓર્ડર, ડિપ્રેશન અથવા સ્કિઝોફ્રેનિયા જેવી સમસ્યાઓથી પીડિત લોકોને ખરાબ સપના આવવાની શક્યતા વધુ હોય છે. તણાવ ઘટાડવાની તકનીકો અને ઉપચારો દુઃસ્વપ્નોનું જોખમ ઘટાડી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસેન્સેક્સ 80 હજારને પાર થતાં CJI DY ચંદ્રચુડ ખુશ, SEBIને આપી સલાહ
July 04, 2024 03:27 PMરાજકોટ CPનો વિચિત્ર નિર્ણય, પોલીસ કમિશનર કચેરીમાં મીડિયાને પ્રવેશબંધી
July 04, 2024 03:27 PMશાપર વેરાવળ પાસે આવેલ પારડી ગામ નજીક ટ્રકમાં લાગી આગ
July 04, 2024 03:25 PMરાજકોટ શહેરના બહુમાળી ભવન ચોક ખાતે ગત રાતે સઘન ચેકીંગ..
July 04, 2024 03:23 PMરાજકોટમાં કોઠારીયા રોડ પર મહાદેવના મંદિરમાં ચોરી, દાનપેટીમાંથી રોકડ રકમ ગાયબ
July 04, 2024 03:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech