કેજરીવાલના PA પર સ્વાતિ માલીવાલે લગાવેલા આરોપો મામલે થશે વિસ્તૃત તપાસ

  • May 14, 2024 08:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે મારપીટની ઘટનાને લઈને સંજય સિંહે મોટો ખુલાસો કર્યો છે. AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહે કહ્યું કે સ્વાતિ માલીવાલ પર કેજરીવાલના પીએ વિભવ કુમાર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આ મામલે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.

રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલાના મામલામાં આમ આદમી પાર્ટીનું પહેલું નિવેદન આજે  સામે આવ્યું છે. AAP સાંસદ સંજય સિંહે કહ્યું કે સ્વાતિ માલીવાલ સાથે જે ઘટના બની તે ખૂબ જ નિંદનીય છે. સીએમ અરવિંદ કેજરીવાલે પોતે આ મામલાની નોંધ લીધી છે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીએ વિભવ કુમાર વિરુદ્ધ કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે.

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે સોમવારે 13 મેના રોજ મુખ્યમંત્રી આવાસથી પીસીઆર કોલ કર્યો હતો. સ્વાતિ માલીવાલે પોલીસને બોલાવી હતી અને સીએમના પીએ વિભવ કુમાર પર હુમલાનો આરોપ લગાવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application