જામનગરમાં કારખાનેદાર સાથે ઝપાઝપી કરતો વિજકર્મચારી

  • August 08, 2023 01:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શંકરટેકરી ઉધોગનગર ખાતે આવેલી પીજીવીસીએલની કચેરીએ પાવર બંધ અંગેની રજુઆત કરવા ગયેલા કારખાનેદારની સાથે ઝપાઝપી કરી મારી નાખવાની ધમકી દીધાની પીજીવીસીએલના કર્મચારી સામે પોલીસ ફરીયાદ કરવામાં આવી છે.
જામનગરના દિ.પ્લોટ-૪૨ જૈન મંદિર પાસે રહેતા વેપારી મહાવીરભાઇ મનસુખલાલ ખીમસીયા (ઉ.વ.૩૧)ના કારખાનામાં અવાર નવાર થ્રી-ફેઈઝ પાવર બંધ થઇ જતો હોય જેથી તેઓ ગત તા. ૭ના શંકરટેકરી ઉધોગનગર ખાતેની પીજીવીસીએલની ઓફીસે રજુઆત કરવા માટે ગયા હતા.


દરમ્યાન પીજીવીસીએલના કર્મચારી હરીશે ઉશ્કેરાઇ જઇને ફરીયાદીને અપશબ્દો કહી ઝપાઝપી કરી મુંઢ  ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી, બનાવના પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી.


મહાવીરભાઇ દ્વારા આ બનાવ અંગે ગઇકાલે સીટી-સી ડીવીઝનમાં પીજીવીસીએલના કર્મચારી હરીશ ચાંદ્રાની વિરુઘ્ધ આઇપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) મુજબ ફરીયાદ નોંધાવી હતી.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application