મતદાર યાદીની કામગીરી સાથે જોડાયેલા અધિકારીઓની બદલી પર ચૂંટણી પંચનો પ્રતિબંધ

  • April 15, 2023 05:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લાંબી રજા પર પણ ન જવા આદેશ




સમગ્ર રાજ્યમાં અત્યારે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ કામગીરી સાથે જોડાયેલા ચાવીરૂપ અધિકારીઓની બદલી જ્યાં સુધી આ કામગીરી ચાલુ છે ત્યાં સુધી નહીં કરવા અને જો અનિવાર્ય કિસ્સામાં અપવાદરૂપ સંજોગોમાં બદલી કરવાની થતી હોય તો ચૂંટણીપંચની પૂર્વ મંજૂરી મેળવવાની સૂચના આપવામાં આવી છે.



ગુજરાતના મુખ્ય નિર્વાચીન અધિકારી પી. ભારતીએ આ સંબંધે તમામ સંબંધીત વિભાગોને સૂચના આપી છે કે ચાવીરૂપ અધિકારીઓ જેવા કે જિલ્લા ચૂંટણી અધિકારી, અધિક અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓ, મતદાર નોંધણી અધિકારીઓ, મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ વગેરેની બદલી જ્યાં સુધી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલે છે ત્યાં સુધી કરી શકાશે નહીં.



મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન જીલ્લા ચૂંટણી અધિકારીઓ એ લાંબી રજા પર જતા પહેલા મુખ્ય નિર્વાચીન અધિકારીની પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે. મતદાર નોંધણી અધિકારી તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારીએ લાંબી રજા પર જતા પહેલા ફરજિયાત રીતે જિલ્લા ચૂંટણી અધિકારીની મંજૂરી લેવાની રહેશે.


મતદાર યાદી સુધારણા કાર્યક્રમ તારીખ 5 એપ્રિલથી શરૂ થઈ ગયો છે અને સુધારેલી મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ તારીખ 15મીના સોમવારે કરવામાં આવનારી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application