મતદાર યાદીના રોલ ઓબ્ઝર્વર તરીકે 13 આઈએએસની ચૂંટણી પંચે કરેલી નિમણૂક

  • April 18, 2023 05:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એમ.એ. પંડ્યાને રાજકોટ જિલ્લાની જવાબદારી સોપાઈ



સમગ્ર રાજ્યમાં હાલ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. આગામી તારીખ 15 મે ના રોજ અંતિમ મતદારી યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. ચૂંટણી પંચે આ માટે આઈએએસ કેડરના 13 અધિકારીઓને રોલ ઓબ્ઝર્વર તરીકેની જવાબદારી સોંપી છે.



ગુજરાત સરકારના લેન્ડ રેકર્ડ ડિપાર્ટમેન્ટ ના ડાયરેક્ટર અને સેટલમેન્ટ કમિશનર એમ. એ. પંડ્યા ને રાજકોટ તથા સુરેન્દ્રનગર જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે.



દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જામનગર જિલ્લાની જવાબદારી રાહત કમિશનર આલોક કુમાર પાંડેને સોંપવામાં આવી છે. જ્યારે એડિશનલ ઇન્ડસ્ટ્રીયલ કમિશનર કુલદીપ આર્યને કચ્છ અને મોરબી જિલ્લો સોંપવામાં આવ્યો છે.


જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાની જવાબદારી મહિલા અને બાળ વિકાસ વિભાગના કમિશનરડી.એન. મોદીને સોંપવામાં આવી છે. જ્યારે હાઉસિંગ કમિશનર આર.એસ.નીનામાને બોટાદ અને ભાવનગર જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application