અખરોટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના સેવનથી અનેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. અખરોટમાં વિટામિન્સ, મિનરલ્સ, ફાઇબર અને હેલ્ધી ફેટ્સ જેવા ઘણા પ્રકારના પોષક તત્વો મળી આવે છે જે મગજને તેજ બનાવે છે. આ સાથે તે મેમરી પાવરને વધારે છે. તે થાઈરોઈડ જેવી સમસ્યાઓને દૂર કરવામાં પણ અસરકારક સાબિત થઈ શકે છે. સવારે ખાલી પેટ અખરોટનું સેવન કરવાથી તમને ઘણા ફાયદા થઈ શકે છે. ચાલો જાણીએ તેના કેટલાક અસરકારક ફાયદાઓ વિશે
કેન્સરનું જોખમ ઘટે છે
અખરોટનું સેવન કરવાથી કેન્સરથી બચી શકાય છે. તેનાથી પ્રોસ્ટેટ કેન્સર, કોલોરેક્ટલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર જેવી બીમારીઓનું જોખમ ઘટાડી શકાય છે. અખરોટમાં પોલીફેનોલ એલાગીટાનીન્સ મળી આવે છે જે તમને કેન્સરથી બચાવવામાં મદદ કરે છે.
હાડકાં મજબૂત કરે
દરરોજ પલાળેલા અખરોટનું સેવન કરવાથી હાડકાં અને દાંતની મજબૂતાઈ વધારી શકાય છે. તેમાં હાજર આલ્ફા-લિનોલેનિક એસિડ હાડકા મજબત કરે છે.
વજન ઘટાડવામાં મદદ રૂપ
પલાળેલા અખરોટનું સેવન કરવાથી શરીરના વધતા વજનને પણ નિયંત્રિત કરી શકાય છે. તેમાં રહેલા પ્રોટીનની ભરપૂર માત્રાથી વજન ઓછું થાય છે. આ ઉપરાંત, તેમાં ઓછી કેલરી છે જે વજનને નિયંત્રિત કરે છે.
હૃદયને સ્વસ્થ રાખે
અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ જોવા મળે છે જે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડી શકે છે. જે હૃદયને સ્વસ્થ રાખે છે.
ડાયાબિટીસને નિયંત્રિત કરે
સવારે ખાલી પેટ અખરોટનું સેવન કરવાથી ડાયાબિટીસને નિયંત્રિત કરી શકાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનના સુરક્ષા સલાહકારે ડોભાલને ફોન કર્યો હોવાનો તુર્કી મીડિયાનો દાવો
May 08, 2025 10:45 AMદેશમાં પુખ્ત થતા પહેલા જ 30 ટકા છોકરીઓ, ૧૩ ટકા છોકરાઓ બને છે જાતીય શોષણનો શિકાર
May 08, 2025 10:43 AMબિલ્ડીંગ પરથી પટકાઈ પડતા પરપ્રાંતિય બાળાનું કરુણ મોત
May 08, 2025 10:41 AMજામનગર ખાતે નિઃશુલ્ક સેવાયજ્ઞનું આયોજન
May 08, 2025 10:38 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech