દંપતી, સરોગેટ અથવા ડૉક્ટર કાયદાનું ઉલ્લંઘન કરે તો પાંચ વર્ષ સુધીના જેલવાસની જોગવાઈ : કપલ ઉપરાંત સરોગેટ મધર પણ પરણેલ હોવા જરૂરી
આઠ વર્ષ પહેલાં દિલ્હીમાં એક લેસ્બિયન કપલના ઘરે સરોગસી દ્વારા એક પુત્રીનો જન્મ થયો હતો. પરંતુ આ વર્ષે જયારે તેઓએ બીજુ બાળક બીજું બાળક લેવાનું નક્કી કર્યું, ત્યારે કાયદો બદલાઈ ગયો. હવે પહેલાની જેમ કોઈ સરોગેટની નિમણૂક કરી શકાતી નથી એટલે કે, તેમના પરિવાર અને મિત્રોમાંથી જ કોઈ સરોગેટ શોધવા પડશે. ઉપરાંત સરોગેટને તેની સેવાઓ માટે ચૂકવણી કરી શકાતી નથી.
ભારત સરકારે તેના માટે કેટલાક કડક નિયમો બનાવ્યા છે જેથી માત્ર જરૂરિયાતમંદ યુગલો જ તેનો ઉપયોગ કરી શકે. કોઈ પણ વ્યક્તિને સરોગસી પર બિઝનેસ કરવાનો અધિકાર નથી. દંપતી સરોગેટ માતાને સરોગસી માટે કોઈ પૈસા ચૂકવી શકતા નથી. દંપતીએ માત્ર ડૉક્ટર અને હોસ્પિટલનો ખર્ચ જ ચૂકવવાનો રહે છે. આ સિવાય સરોગેટ મધરનું ઇન્શ્યોરન્સ કરાવવું જરૂરી છે. સરોગસી રેગ્યુલેશન એક્ટ હેઠળ, જે દંપતી કોઈપણ કારણોસર બાળકને જન્મ આપી શકતા નથી તેઓ જ સરોગસી દ્વારા માતાપિતા બની શકે છે. લિવ-ઇન કપલ્સ માટે આ સુવિધા ઉપલબ્ધ નથી.
જોકે, આ કાયદો વિધવા અને છૂટાછેડા લીધેલી મહિલાઓને સરોગસી દ્વારા માતા બનવાની છૂટ આપે છે. પરંતુ તેમની ઉંમર 35 થી 45 વર્ષની વચ્ચે હોવી જોઈએ. સરોગસી માટે કપલના લગ્ન થયા હોવા જરૂરી છે. પતિની ઉંમર 23 થી 50 વર્ષની વચ્ચે અને પત્નીની ઉંમર 26 થી 55 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અગાઉ એવો નિયમ હતો કે લગ્નના ઓછામાં ઓછા પાંચ વર્ષ પછી જ દંપતી સરોગસી કરી શકે છે, પરંતુ 2019માં રજૂ કરવામાં આવેલા બિલમાં આ જોગવાઈ દૂર કરવામાં આવી હતી.
જો કોઈ દંપતી અથવા ડૉક્ટર સરોગસી કાયદાનું ઉલ્લંઘન કરે છે, તો તેમને પાંચ વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા બંને સજા થઈ શકે છે. સરોગેટ માતાઓ માટે પણ કાયદામાં નિયમો બનાવવામાં આવ્યા છે. મહત્વનું છે કે સરોગેટ મધર પણ પરણેલી હોવી જોઈએ. તેનું પોતાનું ઓછામાં ઓછું એક બાળક હોવું જોઈએ અને તેની ઉંમર 25 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તેમજ વ્યક્તિએ માનસિક રીતે સ્વસ્થ હોવું જોઈએ. પહેલા કાયદામાં એવું હતું કે મહિલા ત્રણ વખત સરોગેટ મધર બની શકે છે. પરંતુ હવે નવા કાયદા હેઠળ મહિલા દંપતી માટે માત્ર એક જ વાર ગર્ભ ધારણ કરી શકશે. આ ઉપરાંત, સરોગેટ માતા અને દંપતી માટે તેમના આધાર કાર્ડને લિંક કરવું પણ ફરજિયાત છે, જેથી છેતરપિંડીથી બચી શકાય. કાયદા હેઠળ, અપરિણીત મહિલાને સરોગસી દ્વારા માતા બનવાનો અધિકાર નથી.
ભારતીયો હવે સરોગસી દ્વારા બાળક પેદા કરવા માટે વિદેશ પ્રવાસ કરી રહ્યા છે, એક કરાર પ્રક્રિયા દ્વારા એક મહિલા ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન (આઈવીએફ) માટે સંમત થાય છે, બાદમાં તેણી બાળકને જન્મ આપે છે. સરોગસી રેગ્યુલેશન એક્ટ 2021 દ્વારા વ્યવસાયિક માર્ગ દ્વારા માતાપિતા બનવાથી અટકાવવામાં આવતા દંપતી, અથવા એકલ પુરૂષો, મહિલાઓ કે સમલિંગી યુગલોનો પણ સમાવેશ થાય છે. કેમ કે, કાયદો તેના વર્તમાન સ્વરૂપમાં માત્ર પરોપકારી સરોગસીને મંજૂરી આપે છે અને તે પણ ઘણી શરતો સાથે. આ અર્થે વિદેશ જતા માતા-પિતાની સંખ્યા ગયા વર્ષથી સતત વધી રહી છે, જેમાં પૈસા ખર્ચી શકે તેવા લોકો યુએસ અને કેનેડા જઈ રહ્યા છે. જયારે અન્ય લોકો પૂર્વ યુરોપિયન અને લેટિન અમેરિકન દેશોમાં જઈ રહ્યા છે.
ભારતીય કાયદો માતાપિતા અથવા યુગલોને ગુનેગાર માને છે જો તેઓ સરોગેટ માટે ચૂકવણી કરે છે. કાર્ડિયોલોજિસ્ટ ડૉ. પ્રિયંકા માથુર કહે છે, "યુએસમાં સરોગસીનો ખર્ચ 200,000 ડોલર (આશરે રૂ. 2 કરોડ) થી 700,000 ડોલર (આશરે રૂ. 6 કરોડ) છે, જેમાં કાનૂની ફી અને ઊભી થતી કોઈપણ સમસ્યાનો સમાવેશ થાય છે." એવા દંપતીઓ, જેમાંથી કેટલાક જૈવિક રીતે તેમનું પ્રથમ સંતાન ધરાવતા હોય અને ખર્ચ પ્રત્યે વધુ સભાન હોય, તેઓ જ્યોર્જિયા જાય છે. ગે યુગલો મેક્સિકો, કોલંબિયા અને આર્જેન્ટીનાને પસંદ કરે છે, જે એલજીબીટીક્યું સમુદાય માટે સલામત માનવામાં આવે છે. વધુમાં, લેટિન અમેરિકામાં ખર્ચ યુએસમાં વસૂલવામાં આવતા ખર્ચના અડધા છે. જ્યોર્જિયામાં, કિંમત 40,000 ડોલર (અંદાજે રૂ. 34 લાખ) થી 60,000 ડોલર (અંદાજે રૂ. 50 લાખ)ની વચ્ચે છે અને દક્ષિણ અમેરિકન દેશોમાં, સમગ્ર પ્રક્રિયા 75,000 ડોલર (અંદાજે રૂ. 64 લાખ)માં પૂર્ણ કરી શકાય છે.
ડોક્ટર કહે છે, "એકવાર તેઓને પરમિટ મળી જાય પછી, તેઓએ એક સ્વયંસેવક શોધવાનો હોય છે જે તેમના બાળકને તબીબી ખર્ચ અને વીમા સિવાય બધું કામ કોઈ ખર્ચ વગર કરી આપે." જો કપલ સરોગેટને વધારાની રકમ ચૂકવે તો કાયદો તેમને ગુનેગાર બનાવે છે. સરોગેટ કાયદાએ ઘણા પરિવારના સભ્યોને એકબીજાની વિરુદ્ધ ઉભા કર્યા છે કારણ કે તંદુરસ્ત મહિલાઓને વડીલો દ્વારા સરોગેટ બનવા માટે દબાણ કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech