દિલ્હી લિકર પોલીસી સ્કેમ : મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી 18 એપ્રિલ સુધી લંબાવાઈ  

  • April 06, 2024 02:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમની ન્યાયિક કસ્ટડી લંબાવી : કોર્ટે ઇડી પાસેથી કેટલાક સવાલોના માંગ્યા જવાબ



દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આજે પણ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને રાહત મળી નથી. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 18 એપ્રિલ સુધી લંબાવી છે. આ કેસની આગામી સુનાવણી હવે 18 એપ્રિલે રાઉઝ એવન્યુ કોર્ટમાં થશે. કોર્ટે ઇડીને પૂછ્યું છે કે દરેક આરોપીએ દસ્તાવેજોની ચકાસણી કરવામાં અત્યાર સુધી કેટલો સમય લીધો છે.


મનીષ સિસોદિયા 26 ફેબ્રુઆરી 2023થી જેલમાં છે. આ મામલાને લઈને સીબીઆઈ અને ઈડીનો દાવો છે કે સિસોદિયાએ દારૂના વેપારીઓને ફાયદો કરાવવા માટે એક્સાઈઝ પોલિસીમાં ફેરફાર કર્યો હતો. જેના કારણે આપ નેતાઓને લાંચ તરીકે મોટી રકમ મળી હતી. આ પહેલા સિસોદિયાની જામીન અરજી પર પણ 2 એપ્રિલે સુનાવણી થઈ હતી. આ દરમિયાન તેણે કોર્ટને કહ્યું હતું કે તેને જેલમાં રાખવાનો કોઈ ફાયદો નથી કારણ કે તેની સામે ચાલી રહેલી તપાસ પૂરી થઈ ગઈ છે.


આ પહેલા મનીષ સિસોદિયાએ તિહાર જેલમાંથી પોતાના વિધાનસભા ક્ષેત્રના લોકોને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે સ્વતંત્રતા સેનાનીઓ સામે અંગ્રેજો દ્વારા કરવામાં આવેલા અત્યાચારો સાથે તેમની સ્થિતિની તુલના કરી હતી અને શિક્ષણ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સિસોદિયાએ આશા પણ વ્યક્ત કરી હતી કે તે જલ્દીથી જેલમાંથી બહાર આવશે. અંગ્રેજ શાસકોને પણ સત્તાનો ઘમંડ હતો અને લોકોને ખોટા કેસમાં જેલમાં ધકેલી દીધા હતા.


આ મુદ્દે ભારે રાજનીતિ પણ થઈ રહી છે. આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે દાવો કર્યો છે કે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા ટૂંક સમયમાં જેલમાંથી બહાર આવશે કારણ કે આ કૌભાંડ આમ આદમી પાર્ટીએ નહીં પરંતુ ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે. આ અંગે તેમણે પોતાની દલીલો પણ રજૂ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application