સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો નિર્ણય : જ્યોતિન્દ્ર જાનીની ગાઈડશીપ રદ

  • September 26, 2023 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રોફેસર જાની અંગે મહત્વનો નિર્ણય કર્યો છે. પ્રોફેસર જાનીની ગાઈડશીપ રદ કરવામાં આવી છે અને જેટલા પણ અન્ય વિદ્યાર્થીઓ તેમની પાસે પીએચડી કરી રહ્યા હતા તેમને અન્ય અધ્યાપકોની ફાળવણી કરવાની પ્રક્રિયા હાથ ધરાય છે.    


એમ.જે કુંડલીયા કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા અને પીએચડીના ગાઈડ પ્રોફેસર જ્યોતિન્દ્ર જાની સામે પીએચડી કરનાર વિદ્યાર્થીનીએ યૌન શોષણનો આક્ષેપ કર્યો છે. જે વાત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે આવતા તેમણે તપાસ કમિટીની રચના કરી હતી. તપાસ કમિટીની તપાસમાં કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી હતી. વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા પ્રોફેસર જાની દ્વારા કરાયા હતા. તેમજ સોશિયલ મીડિયા પર મેસેજ કરીને હેરાન કરવામાં આવતા હતા. તેમજ કેટલાક પ્રલોભનો આપ્યા હતા. અંતે યુવતીએ કંટાળીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આ બાબતે રજૂઆત કરતા નિર્ણય લેવાયો હતો. તપાસ કમિટીએ પ્રોફેસર જાની જે કોલેજમાં ફરજ બજાવતા હતા તેમને કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. સાત દિવસમાં આ કાર્યવાહી પૂર્ણ કરવાની હતી. જો કે સાત દિવસ અગાઉ જ એમ.જે કુંડલીયા કોલેજના ટ્રસ્ટીઓ અને આચાર્યની બેઠકમાં પ્રોફેસર જ્યોતિન્દ્ર જાણીને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. જે બાદ આ પ્રકરણમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પણ જ્યોતીન્દ્ર જાનીની ગાઈડશીપ રદ કરવામાં આવી છે. 


યૌન શોષણ પ્રકરણમાં પ્રોફેસર જ્યોતીન્દ્ર જાનીએ પોલીસ કમિશનરને અરજી કરી છે કે, મારી વિરુદ્ધમાં આ એક તરફી નિર્ણય લેવાયો છે મારી વાતને રજૂ કરવાનો મોકો આપવામાં આવ્યો નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application