દિલ્હી તિહાર જેલમાં કેદીઓ પર જીવલેણ હુમલો, બે કેદી ઈજાગ્રસ્ત

  • July 27, 2024 02:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




દિલ્હીની તિહાર જેલમાં જીવ લેવાના ઈરાદે કેદીઓ પર ફરી હુમલો કરવામાં આવ્યો છે. જેલ નંબર 8 અને 9માં કેદીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં બે કેદીઓ ઈજાગ્રસ્ત થતા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા. તેમાંથી એકને દાખલ કરવામાં આવ્યો છે. જેલ અધિકારીએ આ માહિતી આપી છે.


દિલ્હી પોલીસે જણાવ્યું કે, મળતી માહિતી મુજબ, બે કેદીઓ લવલી (ઉ.વ.22) અને લવેશ, (ઉ.વ.22) (બંને સામે હત્યાના કેસમાં દાખલ છે),ને ઈજાગ્રસ્ત હાલતમાં સેન્ટ્રલ જેલ નંબર 9, તિહાર જેલમાંથી ડીડીયુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં જાણવા મળ્યું કે, તિહારના CJ-9ના વોર્ડ નંબર 11 પાસે લોકેશ, નીતિન, હિમાંશુ અને અભિષેક સાથે ઝપાઝપી બાદ બંનેને ગંભીર ઈજાઓ થઈ હતી. કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે.


આ પહેલીવાર નથી કે તિહાર જેલમાં આવી ઘટના બની હોય. અગાઉ પણ આવી ઘટનાઓ બની છે. જણાવી દઈએ કે, આ પહેલા દિલ્હીની તિહાર જેલમાં ગેંગ વોરની ઘટના સામે આવી હતી. બે ટોળકી વચ્ચેની લડાઈમાં એક કેદીને છરી વાગી હતી.


જે બાદ પોલીસે કહ્યું કે, તિહાર જેલમાં હરીફ ગેંગના સભ્યો વચ્ચે અથડામણ થઈ હતી. તેમને કહ્યું કે, લડાઈમાં એક કેદી, જે હત્યાના કેસમાં અંડરટ્રાયલ છે, તેને છરો મારવામાં આવ્યો હતો. તેમને દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application