વાંકાનેરમાં માવઠાથી સિરામિક ઈન્ડસ્ટ્રીઝને નુકસાન: રાહત પેકેજ જાહેર કરવા રજૂઆત

  • December 01, 2023 12:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાંકાનેરમાં યુનીટો તેમજ ઉદ્યોગોના મોટા પ્રમાણમાં કારખાનાના યુનીટો આવેલા છે. હાલમાં મોરબી જિલ્લ ાના વાંકાનેર શહેરમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં કારખાના આવેલા છે પરંતુ અચાનક વરસાદમાં કર પડવાથી ઉદ્યોગોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને કાચો માલને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આ નુકસાનીનો અંદાજ થાય તેવી સ્થિતિ નથી. વાંકાનેર વિસ્તારમાં નાના યુનીટો ઉભા કરી હજારો માણસોને રોજીરોટી આપે છે. 
વાંકાનેર વિસ્તારમાં નાના યુનીટોના તમામ શેડ કાચો માલ મશીનરી તેમજ મોટર વિગેરેના સંપુર્ણપણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને એકાદ યુનીટ પણ ચાલુ થાય તેવી સ્થિતિ નથી જેથી કારખાનાવાળાને પ્રોડકશન લઈ શકે તેમ નથી. આવા કારખાનાઓ મોટા પ્રમાણમાં લોન તેમજ સીસી વગેરે મેળવેલ છે. આવી સ્થિતિમાં લોન કે વ્યાજ મજુરોના પગાર, લાઈટ બીલ ન ભરાતા સિરામીક ઉદ્યોગ ભાંગી પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. 
​​​​​​​
માટે આવા નાના ઉદ્યોગોને સરકાર તરફથી રાહત પેકેજ જાહેર કરવા વાંકાનેર સિરામીક એસોસીએશને રજૂઆત કરી છે. હાલમાં નાના ઉદ્યોગોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તો સરકાર યુનીટોને ટકાવી રાખવા હજારો માણસોને રોજીરોટી મળે તે રીતે રાહત પેકેજ જાહેર કરવા એસોસીએશને ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application