મોહમ્મદશમીની વાપસી પર સંકટ, જાણો શા માટે ટીમ ઇન્ડિયાથી સાઇડલાઇન થવું પડશે શમીને?

  • January 20, 2024 01:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ વર્લ્ડ કપ 2023માં પોતાની ઘાતક બોલિંગથી ધૂમ મચાવી હતી. અને ત્યારથી તે હજુ પણ ટીમ ઈન્ડિયાની બહાર છે. એક રિપોર્ટ અનુસાર શમી ઇજાગ્રસ્ત થયો છે. નેશનલ ક્રિકેટ એકેડમીમાં તેની ઇજા માટે જ કામ ચાલી રહ્યું છે. પરંતુ હવે તે લંડન જાય તેવી શકયતા છે. શમી લંડનમાં તેની ઇજા માટે ત્યાંના નિષ્ણાતોની સલાહ લેશે. એક રિપોર્ટ અનુસાર શમી હાલ બેંગલુરુમાં છે. તેમજ બોર્ડના અધિકારીઓના અભિપ્રાય બાદ તે લંડન જશે.


આપને જણાવી દઇએ કે ઇજા જ મુખ્ય કારણ છે કે, શમીને હજુ થોડા દિવસો ટીમ ઈન્ડિયાથી દૂર રહેવું પડશે. નોંધનીય છે કે, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 25 જાન્યુઆરીથી ટેસ્ટ સિરીઝ શરૂ થઈ રહી છે. શમીનું નામ પ્રથમ બે મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યું નથી.શમીએ ઘણી મેચોમાં શાનદાર બોલિંગ કરીને મહત્વની ભૂમિકા ભજવી છે. પરંતુ હાલ તે ક્રિકેટથી દૂર છે.


ઉલ્લેખનીય છે કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચ માટે શમીનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. ક્રિકેટરસિયાઓને આશા હતી કે તે ત્રીજી ટેસ્ટ મેચ માટે ટીમમાં જગ્યા બનાવી શકશે. પરંતુ હાલના સંજોગોમાં પણ શમીના કમબેકને લઈને કોઈ સત્તાવાર માહિતી મળી નથી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application