કલ્યાણપુર નજીકના નાવદ્રા ગામ પાસે રવિવારે સર્જાયેલા બસ અકસ્માતમાં છત્તીસગઢના મહિલાના મૃત્યુના બનાવ સંદર્ભે મૃતક મહિલાના પતિએ બસના ચાલક સામે ધોરણસર ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદની કલ્યાણપુર પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ છત્તીસગઢ રાજ્યના બેમેતારા જિલ્લાના સાજા તાલુકામાં રહેતા પુરતસિંહ ગોપાલસિંહ ચંડેલ નામના ૭૧ વર્ષના રાજપૂત વૃદ્ધ અન્ય ૪૦ જેટલા યાત્રાળુ સાથે સી.જી. ૨૭ એફ. ૯૯૮૮ નંબરની ખાનગી બસમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં દર્શનાર્થે નીકળ્યા હતા. રવિવારે રાત્રિના સમયે તેઓ દ્વારકા દર્શન કરી અને સોમનાથ તરફ જઈ રહ્યા હતા, ત્યારે એકાદ વાગ્યાના સુમારે નાવદ્રા ગામના પાટીયા પાસે આવેલી બજરંગ હોટલ નજીક પહોંચતા આ બસના ચાલક શશીભૂષણ નાગભૂષણએ બસ પરનો કાબુ ગુમાવી દેતા આ બસ રોડની એક બાજુ ઉતરીને પલ્ટી ખાઈ ગઈ હતી.
આ અકસ્માતમાં બસમાં જઈ રહેલા લક્ષ્મીબેન નામના મહિલાને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઉપરાંત અન્ય મુસાફર રહેમુનબેન, રોહિણીબેન વિગેરેને પણ ફ્રેકચર સહિતની નાની-મોટી ઇજાઓ થતા હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી.
આ બનાવ અંગે મૃતક લક્ષ્મીબેનના પતિ પુરતસિંહ ચંડેલની ફરીયાદ પરથી કલ્યાણપુર પોલીસે બસના ચાલક શશીભૂષણ નાગભૂષણ સામે આઈ.પી.સી. કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮, ૩૦૪ (એ), તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનમાં રક્ષક બન્યો ભક્ષક : પોલીસે ડોક્ટરને ઉતાર્યો મોતને ઘાટ
September 20, 2024 01:48 PMસુપ્રીમની હાઇકોર્ટના જજને ફટકાર, બેંગ્લોરના મુસ્લિમ વિસ્તારને મિની પાકિસ્તાન ગણાવતા માંગ્યો જવાબ
September 20, 2024 01:42 PMચેટજીપીટીએ માણસની જેમ સામેથી પ્રશ્ન પૂછતા યુઝર થયો આશ્ચર્યચકિત
September 20, 2024 01:17 PMમહિલા મૂવી જોતી રહી અને ડોકટરોએ કરી મગજની સર્જરી
September 20, 2024 12:50 PMસરકારના ૫૪૩ ભ્રષ્ટ્રાચારી અધિકારી અને કર્મચારીઓ સામે કાર્યવાહીની મંજૂરી બાકી
September 20, 2024 12:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech