કરણસિંહજી હાઈસ્કૂલમાં ગેરકાયદે બાંધકામનો વિવાદ : સરકારી જગ્યામાં મૂકેલા બાંકડા ટ્રસ્ટે હટાવ્યા

  • May 21, 2023 12:12 PM 

રાજકોટની ઐતિહાસિક કરણસિંહજી હાઈસ્કૂલમાં ગેરકાયદે બાંધકામનો વિવાદ સતત વકરી રહ્યો છે. મનપાએ મૂકેલા બાંકડાઓ ટ્રસ્ટે ગેરકાયદેસર તોડીને હટાવી દેવાતા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. કિરીટ પાંધી ભાજપ જે સાથે જોડાયેલા છે અને તેમના પત્ની વર્ષાબેન વોર્ડ નં.7ના કોર્પોરેટર છે. કિરીટ પાંધીએ જણાવ્યું છે કે, ભાજપના કોર્પોરેટરે મંદિર પાસે સિનિયર સિટિઝન માટે બાંકડાઓ મુકાવ્યા હતા. આ બાંકડાઓ મુકાતાં જ વિવેક સ્વામીએ રાતોરાત બાંકડા તોડી તેને રોડ પર મૂકી બીજા બાંકડાઓ મૂકી દીધા છે. ગ્રાન્ટમાંથી મુકાયેલી વસ્તુને નુકસાન પહોંચાડવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. જે બાંકડાઓ હટાવાયા છે તેમાં વર્ષાબેન પાંધીની ગ્રાન્ટમાંથી મુકાયા હોવાનું લખ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application