કોંગ્રેસના સૂત્રો મુજબ રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરવા અને ગૃહમાં પક્ષપાત કરવાનો આરોપ લોકસભાના સ્પીકરની પર થઇ શકે છે.
નોંધનીય છે કે, રાહુલ ગાંધીને ગુજરાતની સુરત કોર્ટ દ્વારા 2019ના માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યાના એક દિવસ પછી જ લોકસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. ચાર વખત સાંસદ રહી ચૂકેલા રાહુલ ગાંધી અયોગ્યતાના કારણે આઠ વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહિ, આ સિવાય કે હાઈકોર્ટ સજા પર સ્ટે ન મૂકે. કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળો આ મામલે સંસદમાં સતત હંગામો મચાવી રહ્યા છે અને સંસદની બહાર દેખાવો પણ થઈ રહ્યા છે.
કોંગ્રેસનો આરોપ છે કે રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહી એટલા માટે કરવામાં આવી છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અદાણી મુદ્દે સંસદમાં તેમના આગામી ભાષણથી ડરી ગઈ હતી. બીજી તરફ ભાજપે કહ્યું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ગેરલાયક ઠેરવવાનો લોકસભા સચિવાલયનો નિર્ણય નિયમો અનુસાર છે અને આ નિર્ણય પર સવાલ ઉઠાવવા એ બંધારણને નિશાન બનાવવા જેવું છે.
આ સિવાય બજેટ સત્રની શરૂઆતથી જ વિપક્ષી પાર્ટીઓ અદાણી ગ્રુપ સાથે જોડાયેલા મામલામાં સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ની માંગ કરી રહી છે. છેલ્લા દિવસે કોંગ્રેસ સહિત દેશની 18 વિપક્ષી પાર્ટીઓએ બેઠક યોજીને નિર્ણય લીધો હતો કે લોકશાહી બચાવવા માટે તમામ પક્ષો સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે અને અદાણી કેસમાં જેપીસીની માંગણી કરવાનું ચાલુ રાખશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઘાંટવડ ગામ માં આંખલાઓ નાં આંતક થી લોકો નાં જીવ જોખમમાં
July 04, 2024 06:03 PMજુઓ પોરબંદરમાં 50 ફૂટ ઊંડા કૂવામાંથી કઈ રીતે બચાવાયો સાપનો પરિવાર
July 04, 2024 06:01 PMજુઓ પોરબંદરના બંગડી બજારમાં પોલીસ શા માટે દોડી ગઈ
July 04, 2024 05:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech