મોટી લાખાણીના ખેડૂતનો મગફળીનો ભુક્કો લાઇનને સળગાવી નાખ્યાની ફરિયાદ

  • November 24, 2023 02:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર તાલુકાના મોટી લાખાણી ગામમાં આવેલી ખેડૂતની વાડીમાં રાખવામાં આવેલા મગફળીના ભુક્કા અને પાણીની પાઇપલાઇનને કોઈ અજાણ્યા શખ્સોએ આંગ ચાંપી સળગાવી દઇ નુકસાની પહોંચાડ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.


જામનગર તાલુકાના મોટી લાખાણી ગામમાં ભરવાડ પાડા વિસ્તારમાં રહેતા અને ખેતી કામ કરતા ખોડાભાઈ સોંડાભાઈ ઝાપડા નામના ૫૦ વર્ષના ખેડૂતની વાડીમાં અંદાજે ૩૦૦ ભારી મગફળીના ભુક્કાનો ઢગલો કરીને રાખવામાં આવ્યો હતો, જ્યારે પાણીની પ્લાસ્ટિકની પાઇપલાઇન રાખવામાં આવી હતી.
 જેને ગઈ રાત્રી દરમિયાન કોઈ અજ્ઞાત શખ્સોએ વાડીમાં પ્રવેશી આગ ચાંપી દઈ સળગાવી નાખ્યો હતો. જેથી ખેડૂતને અંદાજે રૂપિયા ૪૦ હજારનું નુકસાન થયું છે.
 આ બનાવ અંગે ખોડાભાઈ ભરવાડે પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરોધ ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈપીસી કલમ ૪૩૫ મુજબ ગુનો નોંધીને અજાણ્યા ઇસમોની પંચકોશી-એ પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. આ બનાવના પગલે ગામમાં ચકચાર ફેલાઇ ગઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application