PM મોદી વિરુદ્ધ હાઇકોર્ટમાં ફરિયાદ, એક નિવેદનને નિશાન બનાવી વકીલે કરી કાર્યવાહીની માંગ

  • April 15, 2024 06:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે તેઓ ભગવાન અને ધર્મ સ્થળના નામ પર વોટ માંગીને આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરી રહ્યા છે. આ અરજી વકીલ આનંદ એસ. જોંધલે નોંધાવી છે. જેમાં તેણે પીએમ મોદી સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.


અરજીમાં કહેવામાં આવ્યું છે કે વડા પ્રધાન મોદીએ 9 એપ્રિલે ઉત્તર પ્રદેશમાં તેમના ભાષણમાં હિન્દુ અને શીખ ગુરુઓના નામ પર ભાજપ માટે વોટ માંગ્યા હતા. તેમજ વડાપ્રધાને પોતાના ભાષણમાં વિપક્ષને મુસ્લિમો સાથે જોડ્યા હતા. આમ કરવું એ લોકપ્રતિનિધિત્વ અધિનિયમનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. અરજીમાં પીએમ મોદીને ચૂંટણી માટે અયોગ્ય જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.



એવું પણ કહેવામાં આવ્યું છે કે પીએમ મોદીનું ભાષણ લોકસભાની ચૂંટણીમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીમાં અવરોધો ઉભી કરી શકે છે, તેથી ચૂંટણી પંચે આ અંગે સંજ્ઞાન લેવું જોઈએ અને વડાપ્રધાન વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. પીએમ હવાઈ માર્ગે દેશભરમાં પ્રવાસ કરી રહ્યા છે અને આવા ભાષણો આપી રહ્યા છે, જેનાથી કોઈ સમુદાય વિરુદ્ધ નફરતનું વાતાવરણ ઊભું થઈ શકે. દેશભરમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી માટે આવા ભાષણો પર પ્રતિબંધ મૂકવો જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application