બીજેપી તપાસ એજન્સીની પાછળ છુપાઈને લડી રહી છે ચૂંટણી, લિકર પોલિસી કેસમાં પણ ઇડીએ કેજરીવાલને પાઠવ્યું નવમું સમન્સ : આપ
આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ પાઠવેલા સમન્સ પર પૂછપરછ માટે જવાનો ઇનકાર કરી દીધો છે. દિલ્હી જલ બોર્ડ કેસમાં 'પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ' ની કલમ 50 હેઠળ કેજરીવાલને નોટિસ મોકલવામાં આવી છે. જો કે કેજરીવાલ આજે તપાસ એજન્સીની ઓફિસમાં જશે નહીં. આમ આદમી પાર્ટીએ ફરી એકવાર ઇડીની નોટિસને ગેરકાયદેસર ગણાવી છે. આપએ કહ્યું છે કે ભાજપ શા માટે ઇડીની પાછળ છુપાઈને ચૂંટણી લડવા માંગે છે. ગતરોજ (17 માર્ચ) ઇડીએ કેજરીવાલને દિલ્હી લિકર પોલિસી કેસમાં નવમી વખત સમન્સ પાઠવ્યું હતું. ગણતરીના કલાકો પછી જ, ઇડીએ દિલ્હી જલ બોર્ડમાં ગેરકાયદેસર ટેન્ડરિંગ અને અનિયમિતતા સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રીને નવું સમન્સ મોકલ્યું. તેમને સોમવારે ઇડી ઓફિસમાં આવીને તેમનું નિવેદન નોંધવા માટે કહેવામાં આવ્યું હતું.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દિલ્હી જલ બોર્ડના બે કોન્ટ્રાક્ટમાં નિયમોના ઉલ્લંઘન અને અનિયમિતતાની તપાસ કરી રહ્યું છે. 1998માં સ્થપાયેલ દિલ્હી જલ બોર્ડ રાષ્ટ્રીય રાજધાનીમાં પીવાનું પાણી પૂરું પાડે છે. જલ બોર્ડ નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ અને દિલ્હી કેન્ટ હેઠળ આવતા વિસ્તારોમાંથી ગંદા પાણીને એકત્ર કરે છે અને તેનો નિકાલ પણ કરે છે. જુલાઈ 2022માં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા નોંધાયેલા ભ્રષ્ટાચારના કેસમાંથી ઇડીને આ કેસની આગેવાની મળી હતી.
સીબીઆઈ દ્વારા નોંધાયેલા કેસમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે દિલ્હી જલ બોર્ડના ભૂતપૂર્વ એન્જિનિયર જગદીશ કુમાર અરોરાએ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફ્લો મીટરના સપ્લાય, ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ અને કમિશનિંગ માટે એક કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ કંપનીનું નામ એનકેજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ છે, જેને 38 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. કંપનીને કોન્ટ્રાક્ટ આપતી વખતે, તે ધ્યાનમાં લેવામાં આવ્યું ન હતું કે તે ટેકનીકલ ક્વોલીફીકેશનના માપદંડોને પૂરા કરતી નથી.
અહેવાલ અનુસાર, એવો દાવો કરવામાં આવ્યો હતો કે અધિકારીઓએ લાંચના બદલામાં, એનબીસીસી (ઈન્ડિયા) લિમિટેડના અધિકારીઓ સાથે મળીને એનકેજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને કોન્ટ્રાક્ટ અપાવ્યો હતો. આ પછી ઇડીએ આ કેસમાં અરોરા અને અનિલ કુમાર અગ્રવાલ નામના કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી હતી. ઇડીએ તેની ફરિયાદમાં દાવો કર્યો છે કે એનકેજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને કોન્ટ્રાક્ટ આપ્યા પછી, ભૂતપૂર્વ એન્જિનિયર જગદીશ કુમાર અરોરાને લાંચ તરીકે રોકડમાં પૈસા આપવામાં આવ્યા હતા. લાંચના પૈસા પણ તેના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ પછી અરોરાએ જલ બોર્ડનું સંચાલન કરતા અલગ-અલગ લોકોને પૈસા આપ્યા, જેમાંથી કેટલાક આમ આદમી પાર્ટી સાથે પણ જોડાયેલા હતા.
એજન્સીએ કહ્યું કે વોટર બોર્ડે ખૂબ ઉંચી કિંમતો પર કોન્ટ્રાક્ટ એનાયત કર્યો હતો જેથી કોન્ટ્રાક્ટરો પાસેથી લાંચની રકમ વસૂલ કરી શકાય. એનકેજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને 38 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, પરંતુ માત્ર 17 કરોડ રૂપિયા જ ખર્ચાયા હતા. બાકીના પૈસા નકલી ખર્ચની આડમાં લાંચ તરીકે વસૂલ કરવામાં આવ્યા હતા. ઇડીએ એવો પણ દાવો કર્યો હતો કે લાંચના નાણાંનો ચૂંટણી પ્રચાર માટે ચૂંટણી ફંડ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech