મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે તા.01 ઓક્ટોબરના સીદસરની મુલાકાત લેશે

  • September 30, 2023 02:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે તા.01 ઓક્ટોબરના સીદસરની મુલાકાત લેશે

કેબિનેટ મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલા જામજોધપુર તાલુકાના સીદસર ગામે 'સ્વચ્છ ભારત દિવસ કાર્યક્રમ'માં સહભાગી થશે

જામનગર તા.30 સપ્ટેમ્બર, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે તા.01 ઓક્ટોબરના રોજ જામનગર જિલ્લાના પ્રવાસે છે. મુખ્યમંત્રીશ્રી આવતીકાલે બપોરે 02:30 કલાકે જામજોધપુર તાલુકાના સીદસર ઉમિયાધામ ખાતે આયોજિત 'બિલ્વપત્ર ત્રિદિવસીય મહોત્સવ'માં હાજરી આપશે.

તેમજ, કેન્દ્ર સરકારના મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી વિભાગના કેબિનેટ મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલા આવતીકાલે સવારે 10:00 કલાકે જામજોધપુર તાલુકાના સીદસર મુકામે 'સ્વચ્છ ભારત દિવસ કાર્યક્રમ'માં સહભાગી થશે, અને સવારે 11:00 કલાકે કામધેનુ ગૌશાળા, સીદસરમાં 'ગૌ પૂજન કાર્યક્રમ'માં હાજરી આપશે. ત્યારબાદ કેબિનેટ મંત્રીશ્રી બપોરે 02:30 કલાકે સીદસર ઉમિયાધામ ખાતે આયોજિત બિલ્વપત્ર ત્રિદિવસીય મહોત્સવમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સાથે સહભાગી બનશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application