ચાર ધામ એટલે કે કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમનોત્રીની યાત્રા લોકો માટે આસ્થાનો વિષય છે, પરંતુ કેટલાક લોકો સાહસ માટે અહીં પહોંચે છે. આવી સ્થિતિમાં વૃદ્ધોની સાથે યુવાનોનો પણ ધસારો જોવા મળી રહ્યો છે. વ્લોગર્સ અને વિડિયો કન્ટેન્ટ મેકર્સનો મેળાવડો પણ આ વર્ષે વધુ જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં સામાન્ય ભક્તોને અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. ઉત્તરાખંડ પ્રશાસને તેની કડક નોંધ લીધી છે.
ભક્તોની ભારે ભીડને જોતા ઉત્તરાખંડ સરકારે મે મહિનાના બાકીના દિવસોમાં ચાર ધામમાં VIP દર્શન પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ મંદિર પરિસરની 50 મીટરની અંદર રીલ કે વિડીયો બનાવવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ છે.
ઉત્તરાખંડના મુખ્ય સચિવ રાધા રતુરીએ કહ્યું કે ચાર ધામમાં 31 મે (શુક્રવાર) સુધી VIP દર્શન માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવશે નહીં અને હરિદ્વાર અને ઋષિકેશમાં ઑફલાઇન નોંધણી 19 મે (રવિવાર) સુધી બંધ રહેશે.
તેમણે કહ્યું કે મંદિરોની 50 મીટરની અંદર વીડિયોગ્રાફી અને સોશિયલ મીડિયા રીલ બનાવવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. રતુરીએ કહ્યું કે કેટલાક શ્રદ્ધાળુઓ દ્વારા મંદિર પરિસરમાં વીડિયોગ્રાફી અને રીલ બનાવવામાં આવી રહી છે, જેના કારણે લોકો એક જગ્યાએ એકઠા થાય છે, જેના કારણે અસુવિધા થાય છે.
ચાર ધામ યાત્રા 10 મે (શુક્રવાર) ના રોજ શરૂ થઈ હતી. બુધવાર (15 મે) સુધીની તીર્થયાત્રાના પ્રથમ છ દિવસોમાં ભારત અને વિદેશમાંથી 3,34,732 લોકો મંદિરોમાં પૂજા કરવા આવ્યા છે. યાત્રા માટે નોંધણી 25 એપ્રિલથી શરૂ થઈ હતી અને ગુરુવાર સાંજ સુધીમાં, 27 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ તેના માટે નોંધણી કરાવી હતી.
30 એપ્રિલે અન્ય રાજ્યોના મુખ્ય સચિવોને લખેલા પ્રથમ પત્ર અનુસાર, 25 મે સુધી મંદિરોમાં VIP દર્શનની મંજૂરી આપવામાં આવી ન હતી. યાત્રા માટે પૂર્વ નોંધણી ફરજિયાત છે અને ભક્તો માત્ર ધામોની મુલાકાત લઈ શકશે. રતુરીએ કહ્યું કે તેમને રજીસ્ટ્રેશન વખતે તારીખો ફાળવવામાં આવી હતી.
મુખ્ય સચિવે કહ્યું કે જે વૃદ્ધ શ્રદ્ધાળુઓને સ્વાસ્થ્ય સંબંધી કોઈ સમસ્યા હોય તેમણે યાત્રા શરૂ કરતા પહેલા પોતાનું પરીક્ષણ કરાવવું જોઈએ અને ઉત્તરાખંડના આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ. આરોગ્ય વિભાગે યાત્રાના રૂટ પર 44 નિષ્ણાતો સહિત 184 તબીબોને તૈનાત કર્યા છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, યાત્રા શરૂ થયાના પ્રથમ પાંચ દિવસમાં 11 શ્રદ્ધાળુઓના મોત થયા છે. મૃતકોમાં મોટાભાગના વૃદ્ધો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech