કેન્દ્ર સરકાર અને ભાજપ નેતૃત્વએ મણિપુર અંગે નિર્ણય લેવાનું મન બનાવી લીધું છે. મુખ્યપ્રધાન એન બિરેન સિંહને હટાવવાનો નિર્ણય લેવામાં આવશે. હવે તે માત્ર સમયની વાત છે. એવું માનવામાં આવે છે કે ભાજપ નેતૃત્વ બે રાયોમાં ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં કોઈ રીતે વિચલિત થવા માંગતું નથી, તેથી આ મામલો સ્થગિત કરવામાં આવ્યો છે પરંતુ નિર્ણય માટે આધાર તૈયાર કરવામાં આવ્યો છે. જાણકાર સૂત્રોનું કહેવું છે કે મહારાષ્ટ્ર્ર અને ઝારખંડની ચૂંટણી પૂરી થયા બાદ ગમે ત્યારે નિર્ણય લેવામાં આવી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રી એન બિરેન સિંહને ખબર છે કે ચૂંટણી પછી તેમને હટાવવામાં આવશે. એટલા માટે તેઓ પોતાની તૈયારીઓ પણ કરી રહ્યા છે. તેઓ આસાનીથી શરણે જવાના નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે બીજેપી નેતૃત્વ જે રીતે ઉત્તર ભારતના રાયોમાં મુખ્યમંત્રીને બદલી નાખે છે, તે પ્રકારનો ફેરફાર આસામ સિવાય પૂર્વેાત્તરના કોઈપણ રાયમાં શકય નથી. તેથી એકવાર જે બને છે, તે જ મુખ્યમંત્રી રહે છે.
મણિપુરમાં તાજેતરની ઘટનાઓમાં ઘણા લોકો નવેસરથી શ થયેલી હિંસા પાછળ કાવતં હોય તેવું અનુમાન લગાવી રહ્યા છે. તેમનું માનવું છે કે કુકી અને મેઇતેઇ વચ્ચેનો ઝઘડો ખુરશી બચાવવા માટે વધી રહ્યો છે. આની પાછળ સ્વાર્થ ધરાવતા લોકો કામ કરી રહ્યા છે. ધ્યાનમાં રાખો કે યારે પણ બિરેન સિંહની ખુરશી જોખમમાં આવી છે, ત્યારે મેઇતેઇ સમુદાયના લોકોએ આગળ આવીને તેમની સુરક્ષા કરી છે.એટલા માટે ઘણા લોકો તેને સંયોગ નથી માનતા કે કુકી સમુદાયના લોકોએ પોલીસ સ્ટેશન અને સીઆરપીએફ કેમ્પ પર હત્પમલો કર્યેા અને ત્યારબાદ મેઇતેઇ સમુદાયના છ લોકોનું અપહરણ કરવામાં આવ્યું. છેલ્લા એક અઠવાડિયામાં ૧૦ કુકી આતંકવાદીઓ માર્યા ગયા છે અને ઓછામાં ઓછા પાંચ નિર્દેાષ મેઇતેઇ પણ માર્યા ગયા છે. જેના પછી મેઇતેઇ સમુદાયના લોકો આઘાતમાં છે. તેઓ ધારાસભ્યો અને મંત્રીઓના ઘરો પર હત્પમલા કરી રહ્યા છે.
રાયમાં અરાજકતા અને હિંસા ચાલુ રહેશે તો બિરેન સિંહ કઈ રીતે સત્તામાં રહેશે? કેન્દ્ર સરકાર અને બીજેપીની નેતાગીરીએ આગળ પગલાં લીધા હોવાથી તે કહી શકાય નહીં. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાય સરકાર કે મુખ્યમંત્રીની સલાહ લીધા વિના આમ્ર્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ એકટ અથવા એફસ્પાને છ નવા વિસ્તારોમાં લાગુ કરવાનો નિર્ણય લીધો હતો. આનાથી સેના અને અર્ધલશ્કરી દળોને કાર્યવાહી કરવાની વધુ સત્તા મળી. મુખ્યમંત્રી ઈચ્છે છે કે કેન્દ્ર સરકાર એફસ્પા હટાવે પરંતુ આની કોઈ શકયતા નથી.
તેમની તમામ રાજનીતિ છતાં કેન્દ્રએ પોલીસ, અર્ધલશ્કરી દળો અને સેનાની એકીકૃત કમાન્ડ તેમને સોંપી ન હતી અને હવે સૈન્ય અને અર્ધલશ્કરી દળોની સત્તામાં વધારો કર્યેા છે. એટલું જ નહીં કેન્દ્ર સરકારે સુરક્ષાની બાબતોને પોતાના હાથમાં લેવાની પહેલ કેવી રીતે કરી છે તે એ હકીકત પરથી પણ સ્પષ્ટ્ર થાય છે કે અર્ધલશ્કરી દળોની ૨૦ બટાલિયન એટલે કે બે હજાર સૈનિકોને મણિપુર મોકલવામાં આવ્યા છે. એફસ્પાનો વ્યાપ વધારવો અને બે હજાર વધારાના સૈનિકો મોકલવા એ માત્ર સંયોગ નથી. આ પહેલા રાયના ૧૯ ભાજપના ધારાસભ્યોએ મુખ્યમંત્રી બિરેન સિંહને બદલવા માટે ભાજપ હાઈકમાન્ડને પત્ર લખ્યો હતો. આ અભિયાનમાં વધુ કેટલાક લોકો જોડાય તેની રાહ જોવાઈ રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMજામનગરમાં દિગજામ સર્કલ નજીક આંબેડકર બ્રિજ પર બે રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના
February 22, 2025 06:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech