મેજરબ્રીજના નિર્માણ થકી અંદાજે ૪૫હજાર જેટલા લોકોને અવરજવર કરવામાં સરળતા રહેશે: મંત્રીશ્રી
જામનગર તા.૧૫ જાન્યુઆરી, રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક વારસો, વન અને પર્યાવરણ તથા ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે જામનગર જીલ્લાના વાંસજાળિયા ગામે નિર્માણ પામનાર મેજરબ્રિજનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. રૂ.૬કરોડ ૫૬લાખના ખર્ચે નિર્માણ પામનાર ૬ ગાળાનો મેજરબ્રીજ ૧૧૧.૬૦ મીટર લાંબો અને ૧૨ મીટર પહોળો બનશે. વાંસજાળિયા, તરસાઇ,સતાપર તથા આજુબાજુના રહેવાસીઓને બ્રિજનું નિર્માણ થવાથી ફાયદો થશે.
મંત્રીએ જણાવ્યું હતું કે, જે રસ્તા પર બ્રિજનું નિર્માણ થશે તે રસ્તો જામનગર જીલ્લાને પોરબંદર જીલ્લા સાથે જોડતો અગત્યનો મુખ્ય જીલ્લા માર્ગ છે. આ રોડ પરના વાંસજાળિયા ગામે આવેલ કોઝવે પરથી ચોમાસા દરમ્યાન પાણી ઓવરટોપિંગ થતું હોવાથી આ રસ્તો બંધ રહેવાના કારણે લોકોને હનુમાનગઢ થી જામજોધપુર જવા માટે આશરે ૧૫ કિમી જેટલું વધુ અંતર કાપવું પડતું હતું. પરંતુ મેજર બ્રિજનું કામ મંજુર થતા ૪૫૦૦૦ જેટલા લોકોને અવર જવર કરવામાં સરળતા રહેશે. અહી નજીકમાં સતાપર ગામે ધાર્મિક સ્થળ આવેલું હોવાથી પણ અનેક લોકો તેની મુલકાત લેતા હોવાથી હવેથી વાહનચાલકોને પણ સરળતા રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMજુઓ પોરબંદર આજકાલનો 22 મો જન્મદિવસ કઈ રીતે ઉજવાયો
April 02, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech