'BJP જેલમાં CM કેજરીવાલના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી રહી છે' AAP નેતા આતિશીનો દાવો

  • April 03, 2024 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા આતિશીએ આજે દાવો કર્યો હતો કે 21 માર્ચે ધરપકડ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું વજન ઝડપથી ઘટી રહ્યું છે. આતિશીએ ભારતીય જનતા પાર્ટી પર કેજરીવાલને જેલમાં રાખીને તેમના સ્વાસ્થ્યને જોખમમાં નાખવાનો આરોપ પણ લગાવ્યો હતો. જોકે, તિહાર જેલ પ્રશાસને આ દાવાઓને ફગાવી દીધા છે. કેજરીવાલ 15 એપ્રિલ સુધી તિહાર જેલમાં ન્યાયિક કસ્ટડીમાં છે.


તિહાર જેલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે કેજરીવાલની હાલત સામાન્ય છે. કેજરીવાલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તેને 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.


આતિશીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું, “અરવિંદ કેજરીવાલને ડાયાબિટીસ છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હોવા છતાં તેઓ 24 કલાક દેશની સેવામાં લાગેલા છે. ધરપકડ બાદ કેજરીવાલનું વજન 4.5 કિલો ઘટી ગયું છે. આ ચિંતાજનક છે.


ભાજપ તેમને જેલમાં નાખીને તેમના સ્વાસ્થ્ય સાથે રમત રમી રહી છે.આતિશીએ કહ્યું કે જો અરવિંદ કેજરીવાલને કંઈ થશે તો માત્ર આખો દેશ જ નહીં પરંતુ ભગવાન પણ તેમને માફ નહીં કરે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application