ભાજપના કોર્પોરેટરે મુખ્ય સચિવ રાજકુમારના પૂતળા દહનનો કાર્યક્રમ 15 દી’ મુલતવી રાખ્યો

  • December 11, 2023 05:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાના સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં.14ના ભાજપ્ના કોર્પોરેટર ભારતીબેન બકુલભાઇ મકવાણાએ તેમના વોર્ડના સોરઠીયા પ્લોટ વિસ્તારની શેરીઓમાં સિમેન્ટ કોન્ક્રીટ વર્ક કરવા માટે લાંબા સમયથી રજૂઆતો કરવા છતાં કામ કરાતું ન હોય આ મામલે અગાઉ પત્ર ઇનવર્ડ નં.107 તા.7-12-2023થી કરેલી જાણ મુજબ આજે તા.11ના સવારે 10-30 મહાપાલિકા કચેરીમાં ગુજરાત રાજ્ય સરકારના ચીફ સેક્રેટરી રાજકુમારનું પૂતળા દહનનો કાર્યક્રમ આપવામાં આવનાર હતો, દરમિયાન હાલ આ કાર્યક્રમ 15 દિવસ મુલત્વી રાખવામાં આવ્યો હોવાની લેખિત જાણ કરી છે.
વિશેષમાં મ્યુનિ.કમિશનરને સંબોધીને પાઠવેલ પત્રમાં વિવિધ સંદર્ભો ટાંકીને જણાવ્યું છે કે, મારા વિસ્તારના વિકાસ કામોની રજુઆતને લાંબા સમયથી ધ્યાને ન લેવાતા તેથી મારી નારાજગી ગુસ્સાથી ગુજરાત રાજયના મુખ્ય સચિવના પુતળા દહનનો કાર્યક્રમ રાખેલ હતો તે કાર્યક્રમ 15 દિવસ પુરતો મુલત્વી રાખું છું. દરમિયાન આ પત્રની નકલ 2ાજકોટ શહે2 ભાજપ, પ્રમુખ, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન અને શાસક પક્ષના નેતાને પણ રવાના કરવામાં આવી હોવાનું પત્રના અંતમાં ઉલ્લેખ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત પૂતળાદહનની ચિમકી આપ્યા બાદ મામલો ગંભીર બનતા મહાપાલિકા અને પક્ષના પદાધિકારીઓ-હોદ્દેદારો તેમજ મ્યુનિ.તંત્રવાહકો હરકતમાં આવ્યા હતા અને વાટાઘાટો કરી સમજાવટ કરતા હાલના તબક્કે કાર્યક્રમ મુલત્વી રાખવાનું જાહેર કર્યું હોવાની તેમજ ઇજનેરો અને અફસરોએ પણ શક્ય તેટલી વહેલી તકે કામ કરવાની ખાતરી આપી હોવાની મ્યુનિ.વર્તુળોમાં ચચર્િ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application