કેદારનાથ પદયાત્રાના માર્ગ પર મોટી દુર્ઘટના, પહાડી પરથી ખડકો પડતાં 3 શ્રદ્ધાળુઓના મોત, 10થી વધુ ઘાયલ

  • July 21, 2024 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગૌરીકુંડથી લગભગ 3 કિમી આગળ શ્રી કેદારનાથ ધામ તરફ જતાં પદયાત્રાના માર્ગ પર ટેકરી પરથી અચાનક ખડકો પડી જતાં આ અકસ્માત થયો હતો. આ અકસ્માત ચિરવાસા નામના સ્થળે થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક ભક્તો પગપાળા જઈ રહ્યા હતા, આ દરમિયાન ઉપરની પહાડી પરથી કાટમાળ અને પથ્થરો પડ્યા હતા. કાટમાળ નીચે દબાઈ જવાથી 3 મુસાફરોના મોત થયા છે.


અકસ્માતની માહિતી મળતાં જ ચોકી ગૌરીકુંડ પોલીસ અને ડીડીઆરએફની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રેસ્ક્યુ ટીમને જાણવા મળ્યું છે કે પહાડી પરથી આવતા કાટમાળ અને પથ્થરોથી 3 લોકોના મોત થયા હતા, જ્યારે 8 લોકો ઘાયલ થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર ગૌરીકુંડમાં સ્ટ્રેચરની મદદથી મોકલવામાં આવ્યા હતા. સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે. માનવામાં આવી રહ્યું છે કે અન્ય કેટલાક લોકો પણ કાટમાળ નીચે દબાયેલા હોઈ શકે છે. હાલમાં માહિતી પ્રાપ્ત થઈ છે કે ઉપરોક્ત તમામ શ્રદ્ધાળુઓ ગૌરીકુંડથી કેદારનાથ ધામના દર્શન કરવા જઈ રહ્યા હતા. દરમિયાન ચિરવાસા પાસે ભૂસ્ખલનને કારણે કાટમાળ આવી ગયો હતો અને આ તમામ લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા.


SDRFની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તાત્કાલિક કાર્યવાહી કરી અને 08 ઘાયલ લોકોને બહાર કાઢ્યા. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. એસડીઆરએફની ટીમ દ્વારા મૃતકોના મૃતદેહને જિલ્લા પોલીસને સોંપવામાં આવ્યા હતા. સ્થળ પર હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application