ભગવાન શ્રીરામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને યાદગાર બનાવવા તેમજ આ રૂડા આવસર માટે અનેક વીવીઆઇપી મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આમંત્રિત મહેમાનો પણ પોતાને ધન્ય માની આ પાવન અવસરમાં હરખભેર સામેલ થવા આવ્યા હતા. જેમાં બોલિવૂડના કેટલાક સેલેબ્સને નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જોકે કેટલાક દિગ્ગજ સેલેબ્સને આ આમંત્રણથી દૂર રાખવામાં આવ્યા હતા. આ તરફ ટેલિવિઝન તેમજ ભોજપુરી કલાકારોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેથી, અયોધ્યા આવેલા ભોજપુરી કલાકારોએ પ્રાણપ્રતિષ્ઠા પર્વમાં સામેલ થવાની ખુશી વ્યક્ત કરી હતી.
ભોજપુરી અભિનેત્રી આમ્રપાલી રામનગરી અયોધ્યા પહોંચી હતી. પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત થતી વેળા અભિનેત્રીએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું કે મને રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહ માટે આમંત્રણ મળ્યું છે. મને લાગે છે કે આજે દેશ અને દુનિયાના લોકો જેઓ શ્રીરામમાં વિશ્વાસ કરે છે તેમને તેમના જીવનમાં સૌથી વધુ ખુશીના પળોની અનુભૂતિ થઇ રહી હશે.
આ તરફ ભોજપુરી અભિનેતા દિનેશ યાદવે પ્રાણપ્રતિષ્ઠા સમારોહ માટે તેમની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે, આ દેશ માટે સૌભાગ્યની વાત છે. એટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું હતું કે, "અમે ભાગ્યશાળી છીએ કે આજે જ્યારે ભગવાન રામનો દરબાર શણગારવામાં આવી રહ્યો છે અને ભગવાન શ્રીરામ અયોધ્યા ધામમાં બિરાજમાન છે, ત્યારે અમને ગુરુજીના આશીર્વાદ પણ મળી રહ્યા છે."
ભોજપુરી ક્વીન અક્ષરા સિંહ પણ અયોધ્યા પહોંચી હતી. જોકે રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા પહેલા આ અભિનેત્રીએ જગદગુરુ રામાનંદાચાર્ય સ્વામી શ્રીરામભદ્રાચાર્ય સાથે મુલાકાત કરી હતી. તેની આ મુલાકાત વેળાનો એક વિડીયો ખૂદ અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે, આ સમયે શ્રીરામભદ્રાચાર્યે અક્ષરા સિંહ માટે એક ગીત પણ ગાયુ હોવાનું ધ્યાને આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ-કાશ્મીરમાં ફરી ડ્રોન હુમલા અને ગોળીબાર, પાકિસ્તાને ચાર કલાકમાં તોડ્યો યુદ્ધવિરામ
May 10, 2025 09:10 PMયુદ્ધવિરામ તૂટ્યો: અખનૂરમાં શાંતિના માત્ર 3 કલાક બાદ પાકિસ્તાનનું ફરી ફાયરિંગ
May 10, 2025 08:25 PMભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ: પીએમ મોદીને મળવા પહોંચ્યા ત્રણેય સેનાધ્યક્ષ અને CDS
May 10, 2025 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech